________________
૨૧૬
સર્વોદયની જીવનકળા જોવામાં આવ્યા કરતી હોવાથી, પરંતુ જેઓ તેને સદુપયોગ કરે છે, તેમને તે તત્વ જે ઉદાર બદલે આપે છે, તે તરફ નજર ન જતી હોવાથી ભરમાઈ જઈને તે ફિલસૂફોએ ભૌતિક તત્ત્વને સ્વભાવથી જ અનિષ્ટ કહ્યું છે. તમે સાંભળેલું સારામાં સારું સંગીત થોડાક લોઢાના તાર અને આજુબાજુના વાયુમંડળમાંથી જ નીપજે છે. જે સંગીતશાસ્ત્રી એ ભૌતિતત્ત્વને સારો ઉપયોગ કરે છે, તેને તે સામે તે જ બદલે આપીને કૃતાર્થ કરી મૂકે છે. કળાના ક્ષેત્રમાં કે વીરતાના ઈતિહાસમાં પ્રાપ્ત કરવામાં આવેલી કોઈ પણ ઉત્તમ સિદ્ધિ તમે જુઓ; તમને તેની પાછળ ભૌતિક તત્ત્વને સારી રીતે કરેલો ઉપગ જ દેખાશે. આપણા અનુભવમાં આવતી તમામ ઘટનાઓમાં, પિતાને સારો ઉપયોગ કરનારને સામો તે જ જવાબ આપવાને ભૌતિક તત્ત્વને સ્વભાવ મને સૌથી વધુ ઉત્સાહપ્રેરક લાગ્યો છે. જે લોકો તેનો દુરુપયોગ કરે છે, તેમના ઉપર તે અચૂક જે કારમું વેર લે છે, તેનું મને જરાય દુઃખ લાગતું નથી. તેના તે બંને સ્વભાવ માટે હું તેની આગળ મારું શિર ઝુકાવું છું, અને ઈશ્વરને હાર્દિક ધન્યવાદ આપું છું કે, મને તેણે ભૌતિક જગતમાં જીવવા મૂક્યો છે.
પરંતુ ભૌતિક તત્ત્વને “સારે ઉપયોગ” એટલે શું, કે જેને તે ઉદારતાથી સામે તે જ જવાબ આપે છે તથા તેનો “ખેટ ઉપગ” એટલે શું, કે જેથી દુભાઈને શિક્ષા કર્યા વિના તે કદી કંપતું નથી? “સારે ઉપગ” એટલે જે ત્રણ વસ્તુઓ આ વ્યાખ્યાનમાં હું તમારી આગળ ધર્યા કરું છું, તે ત્રણ વસ્તુઓવાળે ઉપગ – અર્થાત્ ટ્રસ્ટીપણું, વૈજ્ઞાનિક આવડત અને વૈયક્તિક કુશળતાપૂર્વક કરેલે ઉપયોગ. અને
ખોટે ઉપયોગ” એટલે તે ત્રણ વિનાને અર્થાત્ દગાબાજી, બિનઆવડત, અને અકુશળતાથી કરેલ ઉપગ. માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org