________________
આધ્યાત્મિક અને ભૌતિક
ર૧૭ એટલે ભૌતિકતત્વને સાચો ઉપયોગ કરનાર ટ્રસ્ટી; અને ભૌતિક તત્વ એટલે સારા કામદારનો ઉદાર મિત્ર અને ખરાબ કામદારને કટ્ટર દુશમન. માણસ અને ભૌતિક તત્ત્વની આ બે વ્યાખ્યાઓ ઉપર ધ્યાનપૂર્વક વિચાર કરવા હું ફિલસૂ, ધર્મતત્વ, ભૌતિકશાસ્ત્રીઓ, જુવાનના શિક્ષકે, અને મજૂરપક્ષના આગેવાનોને વિનંતી કરું છું.
આપણા “હકો અને ફરજો ને આપણું માનવબંધુઓ પૂરતાં જ નિયત કરી દઈએ, તે આપણે તેમની બહુ સંકુચિત વ્યાખ્યા બાંધી કહેવાય. તે તે આખા વિશ્વ જેટલાં વિસ્તૃત છે. તેમનાં મૂળ આખા વિશ્વની ધરતીમાં નખાયેલાં છે. આખું વિશ્વ દરેક માણસના રેનિંદા કામ ઉપર નજર રાખે છે; તથા ભૌતિક તત્ત્વને સારે ઉપગ કરવા માટે બંધાયેલા ટ્રસ્ટી તરીકે, તે પોતાની ફરજ અદા કરે કે ન કરે તે અનુસાર, તેને બદલે આપે છે કે શિક્ષા કરે છે. “યંત્રશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી, તથા અતિ મહાન પરમેશ્વરને નમ્ર સેવક'. ભૌતિક તત્ત્વ પ્રત્યેની આપણી ફરજ, એ ઈશ્વર પ્રત્યેની આપણી ફરજનું જ બીજું નામ છે. એ ફરજ આપણે અદા કરીએ તેના ઉપર જ સ્થળ અને કાળમાં આપણને મળેલા બધા હક આધાર રાખે છે. ભૌતિક તત્ત્વ પ્રત્યેની આપણી ફરજ ખંતથી અદા કરવા દ્વારા આપણે ઈશ્વર તેમ જ આ પણું માનવબંધુઓની સેવા કરીએ છીએ, તેમનાં શરીર તેમ જ તેમના આત્માની સેવા કરીએ છીએ. પરંતુ તે ફરજ પ્રત્યે આપણે બેદરકાર રહીએ, તો તે બંનેની કુસેવા કરીએ છીએ, તેમને અન્યાય કરીએ છીએ, તથા જાહેર કરીએ છીએ કે, “માનવ ભાંડુઓ પ્રત્યે અમારામાં પ્રેમ નથી.” પછી આપણે બીજી ગમે તેટલી “સમાજસેવા” કરીએ, તોપણ આપણે કરેલા અન્યાયનો બદલે વળી શકે નહિ. રેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org