________________
૨૧૪
સર્વોદયની જીવનકળા વિન જીવવું તેથી પણ અઘરું છે – તેના જેવી એ વ્યાખ્યા છે. તેથી જરા વધુ ઊંડા ઊતરીએ, અને મતભેદનું જોખમ વહોરી લઈએ, તે કહી શકાય કે, ભૌતિક તત્ત્વ આત્મસાક્ષાત્કારની પ્રથમ ભૂમિકા છે; આધ્યાત્મિક અનુભવનો માર્ગ મીતિ વસ્તુળોમાં ને ન જાય છે, તેમને વટાવીને નહીં. બીજી બાજુ, તેથી ઊલટું કહીએ તે, ભૌતિક તત્ત્વ સ્પષ્ટપણે અવગત થઈ જવું, તેને યથાયોગ્ય ઉપગ થવો અને તેનો ઊંડે અનુમવ થવે, તેનું નામ જ આધ્યાત્મિક. ભૌતિક વસ્તુઓને જ જ્યારે કુશળ કારીગરીથી, “હમેશને માટે સૌદર્યભરી અને આનંદભરી ચીજરૂપ બનાવી દેવામાં આવે છે, ત્યારે તે આધ્યાત્મિક વસ્તુઓનુરૂપ જ બની જાય છે, અને જ્યારે તેવી વસ્તુઓનું સૌંદર્ય અનુભવીને તમે આનંદિત થાઓ છો, ત્યારે તમે પોતે આધ્યાત્મિક બને છે.
જગતનું સામાન્ય કામકાજ, માનવજાતિની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળરૂપ તેમ જ તેને ઊગવાની ભૂમિરૂપ છે, એવું માનનારાઓમાંનો હું એક છું, એવું તમે હવે જાણી ગયા છે.. માણસોનાં શરીરને પોષણ આપનાર રેજની રેટીને તેમના આત્માને પોષણ આપનાર આધ્યાત્મિક રેટી બનાવી શકાય, તથા રેટી કમાવાની ક્રિયાને આધ્યાત્મિક વિકાસનું સાધન બનાવી શકાય. હું પોતે તે સમજી જ નથી શકતા કે, ભૌતિક પ્રાણી તરીકે માણસ પોતાની આજીવિકા જે પ્રવૃત્તિઓ દ્વારા ચલાવે છે, તે પ્રવૃત્તિઓ બાતલ રાખવામાં આવે, તે બીજે કયે માર્ગે માણસના આત્માનો વિકાસ સાધી શકાય. કાર્લાઇલે કહ્યું છે, “હું બે માણસોને જ માન આપું છું – ત્રીજા કોઈને નહીં: એક તે મજૂરી કરીને થાકને કારીગર– કે જે પોતાની મજુરી દ્વારા ભૌતિક સાધનથી ભૌતિક પૃથ્વીને જીતીને માણસની બનાવે છે... અને બીજો, આધ્યાત્મિક પિષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org