________________
૨૧૩
આધ્યાત્મિક અને ભૌતિક તેનું મન કોઈ પણ રીતે મગજના તંતુઓ સાથે જોડાયેલું છે, ત્યાં લગી “ભૌતિકવાદને ફિટકાર કાંઈક સંયમપૂર્વક કરવું જોઈએ.
જોકે એ ફિટકાર કરનારાઓ કંઈક મહત્ત્વની વસ્તુ કહેવા માગે છે, એ ઉઘાડું છે; પરંતુ તેઓ ચોકકસ શું કહેવા માગે છે, એ સમજવું મુશ્કેલ છે. તેઓ ભૌતિક તત્ત્વને બિલકુલ નાબૂદ કરીને તેના વિના જ ચલાવવાનું તે નહીં જ ઈચ્છતા હોય; કારણ કે અશરીરી આત્માઓ પણ કદાચ તેમ નહીં કરી શકે. જ્યાં લગી અબ માણસોને ખવરાવવાનાં છે, ઢાંકવાનાં છે, હૂંફાળાં ઘરોમાં વસાવવાનાં છે, ત્યાં સુધી સમાજને ભૌતિક તત્ત્વ સાથે લેવા દેવા રાખ્યા વિના કેમ કરીને ચાલવાનું? એ બિજેને આપણે ચંદ્રિકા નહિ જ ખવરાવી શકીએ, મેઘધનુષ્યના રંગે નહિ જ પહેરાવી શકીએ, તત્ત્વચર્ચામાં જ નહીં વસાવી શકીએ, કે સુંદર શબ્દો વડે જ ગરમી નહીં પૂરી પાડી શકીએ. એટલે આ ફિટકાર કરનારાઓ ભૌતિક તત્વને નાબૂદ કરવાનું તો નહીં જ ઇચ્છતા હોય, પણ તેને તેના યંગ્ય સ્થાને મર્યાદિત કરવાનું જ ઈચ્છતા હશે. પરંતુ ભૌતિક તત્ત્વનું સાચું સ્થાન શું અને કેટલું છે તે સ્પષ્ટ રીતે સમજ્યા વિના, એ બાબતમાં કશો જ પ્રયત્ન ન કરી શકાય. પરંતુ એ વસ્તુની સ્પષ્ટ સમજ બહુ મુશ્કેલ તેમ જ વિરલ છે.
ભૌતિક તત્વ એટલે શું? જુદા જુદા ફિલસૂફે આ પ્રશ્નને જુદે જુદે જવાબ આપે છે; પરંતુ તેની એવી વ્યાખ્યા આપીએ કે, “ભૌતિક તત્વ એટલે એવી વસ્તુ કે જેના વિના આપણે ન ચલાવી શકીએ” – તે કઈ વાંધો નહીં આવે. એક પતિએ પોતાની પત્નીની કબર ઉપર જે સુપ્રસિદ્ધ લેખ કેતરાવ્યું છે કે, “જેની સાથે જીવવું અઘરું છે, પણ જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org