________________
૨૧૨
સર્વોદયની જીવનકળા છે; તે કેટલાક નવા કાયદાઓને વળગાડ સૂચવે છે. દુન્યિાને એ મહારોગ દૂર કરવા ખાતર આધ્યાત્મિક ઉપાયનું આખું વૈદક દવામાં આવે છે, અને સંખ્યાબંધ વાદે’માંથી વધુ શિષ્ટ લાગતા વાદેના આખા લશ્કરને તેની ઉપર હુમલો કરવા તૈયાર કરવામાં આવે છે. પરંતુ મને ચોક્કસ વહેમ જાય છે કે, “ભૌતિકવાદ” એ શબ્દ “વસ્તુશન્ય વિકલ્પ” જ છે. - તમે ભૌતિકવાદ દૂર કરવા માટે રજૂ કરાતા તેમ જ જાહેર કરાતા ઉપાયને તપાસશે, તે એક ધ્યાન ખેંચે તેવી બીના તમારી નજરે પડશે કે, તેમાં દરેક ઉપાય ભૌતિક પાયા ઉપર જ રચાયેલું હશે. તે દરેક ઉપાય ભોતિક સૃષ્ટિની મદદ કઈને કઈ સ્વરૂપે લેતા જ હશે; અને ઘણી વાર તે નિર્લજપણે! તેમાંના જે ઉપાયે ભૌતિક “પરિસ્થિતિ અથવા “બાહ્ય સંજોગો’ સુધારવાનો માર્ગ લે છે, તેમની બાબતમાં તે એ વસ્તુ ઉઘાડી જ છે; પરંતુ જે ઉપાય આધ્યાત્મિક પરિભાષા વાપરે છે, તેઓ પણ દેવળે, વ્યાસપીઠે, નિશાળે, સભાસ્થાને, છાપખાનાં, ચોપડીઓ અને શબ્દોને ઉપયોગ તે કરતા જ હોય છે. કેટલાક ઉપાયે તે આ “ભૌતિક સંસ્કૃતિ સાથે એટલા બધા ગાઢપણે સંકળાયેલા હોય છે કે, તેના વિના તેઓનું કામ જ આગળ ન ચાલે.
સમાજનું અધ્યાત્મીકરણ” ઈચ્છતા કેઈ પણ માણસને પૂછો કે, તું તે વસ્તુ શી રીતે સિદ્ધ કરવા ઈચ્છે છે, તે તે તરત જ કોઈને કોઈ પ્રકારના ભૌતિકવાદને જ આશરે લેશે – ભલે પછી તે કોઈ પરિષદ જ ભરવા પૂરત હોય. કારણ કે તેને માટે તરત ઓછે ભાડે ટિકિટ આપવા રેલવે કંપનીઓને અરજ કરવામાં આવશે, અને પ્રતિનિધિઓને સભાસ્થાને લઈ જવા માટે કેટલાય કેલસા બાળી નાખવામાં આવશે. જ્યાં લગી માણસને આત્મા શરીર સાથે જોડાયેલ છે, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org