________________
આધ્યાત્મિક અને ભૌતિક
૨૧૧ કાળજી રાખે છે, તે ધીમે ધીમે એ છે થતું જાય છે, અને અંતે બેસી જાય છે.'
परपोटा उपर ज सीधो हथोडो न मारता; तेनी आजुबाजु વંતથી હૃથોડો વાવો.' આપણા સમાજજીવનમાં જે જોખમકારક પરપોટા અવારનવાર ઊભા થાય છે, તેમને સીધા કરવાનો ભાર જેઓ પિતાને માથે લઈ બેઠા છે તેઓને, તથા સામાન્ય રીતે જેઓ જનસમુદાયના આમ-હિતના સંરક્ષકે મનાય છે તેમને હું આ નિયમ ભેટ ધરું છું. પરપોટા ઉપર જ ટીપવા જતાં ધાતુનાં કેટલાંય કીમતી પતરાં તૂટી ગયાં છે.
આધ્યાત્મિક અને ભૌતિક આપણી આજની સંસ્કૃતિ સામે મુકાતા સંખ્યાબંધ આક્ષેપોમાં સૌથી સામાન્ય આક્ષેપ એ છે કે, તે “ભૌતિક છે. આપણું સામાજિક રેડમીમાંસકોના ગ્રંથોમાં પણ ભૌતિકવાદ' શબ્દ વારંવાર નજરે પડે છે, અને ઘણી વાર તે આપણને લાગુ પડેલા સૌથી ખરાબ રેગના નામ તરીકે અથવા તો તેવા બધા જ રોગોના સારરૂપે તેને રજૂ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ જમાનાને ભૌતિકવાદ જે દૂર કરવામાં આવે, તે સમાજના બધા રેગની જડ નીકળી જાય, અને બાકીનું કામ બધા માટે સહેલું થઈ જાય. તેને દૂર કરવા માટે જુદાં જુદાં ઔષધો પણ બતાવવામાં આવે છે. કેટલાક ખ્રિસ્તી ધર્મને પ્રચાર સૂચવે
૧. આ ઉદાહરણ મને સર એલિવર લોજ પાસેથી મળ્યું છે. તે કહે છે કે, હર્બટ સ્પેન્સર સાથે વાતચીત કરતાં તે તેમને મળ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org