________________
૨૧૦
સર્વોદયની જીવનકળા અને ટ્રસ્ટીપણાની દિશામાં માણસના કામકાજની જાત સુધારવાના પ્રયત્નથી કરવી જોઈએ; તથા સામાજિક, રાજકીય કે કેળવણીવિષયક બધાં બળને એ બાબત ઉપર જ કેન્દ્રિત કરવાં જોઈએ. આપણે ખાતરી રાખવી જોઈએ કે, ત્યાં કરેલા સુધારાને પડઘો કામ કરનારાઓ તથા જેમને માટે તે કામ કરવામાં આવે છે તે બધાની જાત અથવા “ગુણ” ઉપર તેમ જ તેમની વચ્ચે પ્રવર્તતા પ્રેમના, ભાઈચારાના, એક્યના કે બીજા તેવા સંબંધો ઉપર જરૂર પડશે. નાગરિકતાને લગતા સગુણની તથા વીરતાની કેળવણી આપવાની આ આડકતરી પદ્ધતિ છે. પ્રેરક વ્યાખ્યાન કે ઉપદેશ આપવાની જે સીધી રીત છે, તેને તો પડતી જ મૂકવી જોઈએ. અલબત્ત, તે પદ્ધતિ ઉપર જ આધાર રાખવામાં ન આવે કે તેને વધારે પડતો 'ઉપગ કરવામાં ન આવે, તે તે પણ તાબેદાર સાથી તરીકે તથા છેવટની ઘડીએ ખીલાને પૂરેપૂરો અંદર પેસાડવા માટે વિજયનાદ સાથે હથોડાને છેલ્લો ઘા કરવા પૂરતી ભારે ઉપગની છે.
ધાતુનાં પતરાં બનાવતી વખતે વધારે ઓછી ગરમીને કારણે કે મૂળ ધાતુમાં કાંઈ ખામી હોવાને લીધે કઈ કઈ વાર પતરાની ઉપર પરપોટે ઊપસી આવે છે. તે વખતે તે પરપોટાને કેવી રીતે બેસાડી દે એ પ્રશ્ન ઊભો થાય છે. બિનઅનુભવી માણસ તે એમ જ કહે કે, તે પરપોટાને હથેડાથી ટીપ એટલે તે બેસી જશે. પરંતુ અનુભવીઓ જાણે છે કે, તમે જે પરપોટાને જ સીધે ટીપવા જાઓ, તે પતરામાં ફાટ જ પડી જાય. તેથી તેઓ પરપોટાની સાસપાસનો ભાગ ટીપવા માંડે છે. શરૂઆતમાં તે બને તેટલે દૂરથી ટીપવાનું શરૂ કરે છે, અને ધીમે ધીમે તે પરપોટાની પાસે આવતા જાય છે. દરમ્યાન પેલો પરપોટે, કે જેને ન અડવાની તેઓ ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org