________________
ગુણવિકાસ
૨૦૯ શકાય. દાખલા તરીકે, સારી રીતે બંધાયેલા તથા સુવ્યવસ્થિત શહેરમાં રહેવું, તથા પોતાના ઘરની બારીમાંથી ડોકિયું કરીએ ત્યારે કે પોતાને રેજને કામે જવા નીકળીએ તે વખતે, પોતાની આસપાસના પોતાના માનવબંધુઓની કુશળતા, આવડત, અને વિશ્વાસુપણાની સાબિતીઓ જોવા મળે, એ કેવી સરસ વસ્તુ છે! તે નગરના રહેવાસીઓ માટે તે કેવી સરસ કેળવણી છે! ભવિષ્યની પ્રજા માટે તે કે ઉત્તમ વારસો છે! તેનાથી માનવજાતિના ગૌરવ વિષે આપણને કેવી લાગણી ઊભી થાય છે! તેનાથી તે કુશળ, પાવરધા, અને વિશ્વાસુ લેકોના ટોળામાં જોડાવાને આપણને કે ઉમળકો થાય છે! પરંતુ તે બધાથી ઊલટી પરિસ્થિતિમાં રહેવું એ કેવી ખરાબ વસ્તુ છે! જાહેર મકાને શું, કે ઘર શું, કે દુકાનો શું, જ્યાં ત્યાં તમને ખરી વસ્તુઓના દેખાવવાળી જૂઠી વસ્તુઓ જ જોવા મળે; અનાવડત અને બદમાસી (એ બંનેનું કાયમી જોડકું હોય છે) ચારે બાજુ વ્યાપેલા કદરૂપાપણુમાંથી અને ગોટાળામાંથી તમારી સામે ડેયિાં કર્યા કરે અને કામ કરનારાઓ પોતે તમારા દેખતાં જ તેમની વેઠિયાવાડ કરતા હોય – માણસજાતની દુષ્ટતાની એ બધી ઉઘાડી સાબિતીઓ સામે કર્યુ ધર્મપુસ્તક માણસજાતને ચાહવાનું તમને સમજાવી શકે ? કયે ધર્માસિદ્ધાંત તેના દિવ્ય જન્મ વિષે તમને ખાતરી કરાવી શકે? તમે તે ઊલટું એમ જ કહેવાના, “ચાલ ભાઈ ! આ લેકેથી દૂર ભાગ.”
રચનાત્મક નાગરિક ધર્મનું અંતિમ ધ્યેય માણસની પોતાની જાત સુધારવાનું છે, એ મેં પૂરેપૂરું કબૂલ રાખ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે, એ મુશ્કેલ તથા મહાભારત કામ શરૂ ક્યાંથી કરવું? તેના પાયા આપણે ક્યાં નાખવા? મારી એવી સૂચના છે કે, આપણે તેની શરૂઆત કુશળતા, આવડત સ-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org