SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સર્વોદયની જીવનકળા તેના વિના માણસ માણસ વચ્ચે માનભર્યા સંબંધે ઊભા થવા મુશ્કેલ છે. એવા સંબંધે આખી ઔદ્યોગિક સંસ્કૃતિ માટે ભારે અગત્યના છે. પરંતુ ઉપર જણાવેલા દાખલામાં તેમને સદંતર અભાવ છે. તેથી આખું નૈતિક વાતાવરણ દૂષિત બની જાય છે. તેવા વાતાવરણમાં પરસ્પર ઝેરર, અવિશ્વાસ અને સંકુચિતતા જ ઊભાં થાય; ઉદારતા તથા વફાદારીની ભાવના ન જ ઊભી થાય. તેઓ ખોટી રીતે મેળવેલી લૂંટમાં ભાગ મેળવવા જરૂર તકરાર કરવાના; jતાનું कामकाज खराब प्रकारे करता समाजने एवी तकरारोमांथी कोई વધાવી ન શકે. લૂંટારુઓ, ચાંચિયાઓ, ધૂર્તો, તથા જાહેર જનતાની સુખશાંતિના તેવા બીજા દુશ્મનોની ટેળીઓમાં અંદરોઅંદર પ્રવર્તતી વફાદારી તથા સચ્ચાઈ વિષે ભારે પ્રશંસાભરી વાત કહેવામાં આવે છે, પરંતુ તે જાતની વફાદારી કે સચ્ચાઈ બહુ દીર્ઘજીવી હોતી નથી; તથા કાળભાવનાની કસોટીએ પાર ઊતરી શકતી નથી. કાળ તેનાં મૂળ ખાદ્યા જ કરતે હોય છે, અને જ્યારે લૂંટની વહેંચણીને વખત આવે છે, ત્યારે આખી ઈમારત ભાગી પડે છે. આ મુદ્દાને હજુ પણ કેટલાય વિસ્તારી શકાય. પરંતુ તે અનાવશ્યક છે; કારણ કે બધા જ સમજદાર માણસોને તેનું રહસ્ય સ્પષ્ટ સમજાઈ ગયું હોય છે. બાકી વિસ્તાર જ કરવો હોય તે તે, રેઢિયાળ કામકાજથી આખા સમાજનું નૈતિક વાતાવરણ શિથિલ બની જાય છે એ વસ્તુ કહી દીધા બાદ, સારા કામકાજથી આખા સમાજના નૈતિક વાતાવરણમાં થતો સુધારો લંબાણથી વર્ણવી શકાય. એ પ્રમાણે બંને જાતના કામકાજની તે કામકાજ કરનારાઓ ઉપર થતી અસર વર્ણવી દીધા બાદ, તે કામકાજ જેઓને માટે કરવામાં આવે છે, તેમના ઉપર થતી અસર વર્ણવવામાં કેટલાંય પ્રકરણે ભરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy