________________
२०६
સર્વોદયની જીવનકળ લઈએ; તે પ્રશ્ન એ થાય છે કે, સારાં ઘરે અસ્તિત્વમાં કેવી રીતે આવશે? એ તે ઉઘાડું છે કે, તેને એક જ માર્ગ છેઃ તે ઘર બાંધવામાં કામે લાગનારાએ બધા જ, અર્થાત શહેરની એજના તૈયાર કરનારી સમિતિ તથા મકાનનો નકશો તૈયાર કરનારાઓથી માંડીને છેટે ચાંપનારા નાના મજૂરો સુધીના બધા જ ઊંચા પ્રકારની કારીગરી કે કુશળતા દાખવે તે જ તેમ બને. તે જ વાત મકાન બાંધવામાં વપરાતી વસ્તુઓ, જેવી કે, ઇંટે, ચૂને, ઈમારતી લાકડાં, પ્લાસ્ટર, નળિયાં, કાચ, લેટું, સીસાની નળીઓ અને બાકીની તમામ વસ્તુઓને પણ લાગુ પડે છે. એ આખી પ્રકિયાના દરેક અંગમાં ટ્રસ્ટીપણું, વૈજ્ઞાનિક આવડત, અને વૈયક્તિક કુશળતા ભેગાં દાખવવામાં આવે, તેના ઉપર જ છેવટના પરિણામને આધાર છે. તે વસ્તુઓમાં સુધારો કરે, એટલે તમને સારાં ઘર મળશે. તેમને સુધારે નહીં, તેમની જાત બગડવા દે, તે તમને ભવિષ્યનાં ઘેલકાં મળશે. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન સુધરાઈઓએ કરેલાં મકાન એ દશાએ થોડા વખતની અંદર જ પહોંચવાનાં છે.
પ્રત્યક્ષ વ્યવહારમાં તે સારા અને ખોટાં તત્ત્વોનું વિચિત્ર મિશ્રણ જ નજરે પડે છે. કેટલાક દાખલાઓમાં જના, કલ્પના, તથા કારીગરી ઠીક હોય છે, પરંતુ સાધનસામગ્રી તકલાદી હોય છે. કેટલીક વાર ચેજના મૂર્ખાઈભરેલી ને કલ્પના નિર્માલ્ય હોય છે, પરંતુ સાધનસામગ્રી તથા કારીગરી ઉત્તમ હોય છે. કેટલીક વાર બધી જ બાબતે સારી હોય છે, તે કેટલીક વાર બધી જ બાબતો ખરાબ હોય છે. જાણે એક જ નાવમાં સદાચારી અને દુરાચારી, વીર અને બદમાસે, સામસામે જોર કરતા હોય એવી વ્યગ્ર પ્રકિયા થઈને ઊભી રહે છે. માનવમજૂરીનું રહસ્ય સર્વાગીણ દૃષ્ટિએ ન સમજનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org