________________
ગુણવિકાસ
૨૫ એવું સમજી ન રાખીએ, તો આપણે કોઈ પણ સામાજિક સિદ્ધાંતનું સ્વરૂપ બરાબર સમજી શકવાના નથી. “બીજાઓના ભલા માટે જીવન વ્યતીત કરવામાં” આપણે સારું જ કરીએ છીએ; પરંતુ તેમની બાજુથી જોઈએ તે આપણે પણ “બીજાઓ’ જ છીએ, એ વસ્તુને ઉપરછલી પરોપકારવૃત્તિ ઝટ ભૂલી જાય છે.
આના સંબંધમાં, “સારી પરિસ્થિતિ” એ શબ્દનો અર્થ પણ આપણે જરા ઝીણવટથી સમજ જોઈએ. લેડી વાર પૂરતા આપણે તેમને જે સામાન્ય અર્થ કરવામાં આવે છે, તે કબૂલ રાખીએ કે, “સારી પરિસ્થિતિ” એટલે આજુબાજુની ભૌતિક સાધનસામગ્રી - ઘર, કપડાં, અન્ન, અવકાશ, હવા, પ્રકાશ, ગરમી ઇત્યાદિમાં સુધારે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે, દરેક નાગરિક આ પૃથ્વી ઉપર આવે કે તરત તેને આ બધી વસ્તુઓ તે તૈયાર મળવી જોઈએ, તથા તે બધી વસ્તુઓ તેને મળી રહે એ જોવાનું કામ સમાજવ્યવસ્થાનું છે. આ વસ્તુની હું ના નથી પાડતા; પરંતુ આ વિચારસરણી તેની પછીનું એક સત્ય ભૂલી જાય છે, તે તેને દર્શાવી આપવું જોઈએઃ આ વધી “રિસ્થિતિ 'T વસ્તુનો मानव मजूरीनी पेदाश छ; अने तेमने सुधारवानो एक ज मार्ग होई शके अने ते ए के, आ वस्तुओ उत्पन्न करनार कामदारोने सुधारवानो. .
આ વિષયને અભ્યાસ કરનારા સંખ્યાબંધ માણસને મેં પૂછ્યું છે કે, તેઓ “સારી પરિસ્થિતિ” શબ્દનેશે અર્થ કરે છે, તે આઠમાંથી દશ દાખલાઓમાં સૌથી પ્રથમ એ વસ્તુ દર્શાવવામાં આવી કે “સારાં ઘર.” – જોકે, એક કે બે દાખલામાં તે “સારા” ને બદલે વધારે” કહીને મુદ્દો ગૂંચવી નાખવામાં આવ્યું હતું. હવે “સારાં ઘર” એ “સારી પરિસ્થિતિ”ના પ્રતીક તથા સારરૂપ છે, એમ આપણે સ્વીકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org