________________
ગુણવિકાસ
२०३ મોટે ભાગે અદશ્ય રીતે કાળમાં કામ કરતા હોય છે, અને હમણાં ઉપર જણાવેલા સ્થળમાં રહેલા પદાર્થો કરતાં તેમને બદલવા એ વધુ મુશ્કેલ હોય છે.
એ જ વસ્તુ બીજી રીતે પણ બતાવી શકાય તેમ છે. દરેક માણસની પરિસ્થિતિ માં સૌથી વધુ સક્રિય તથા અસરકારક તત્ત્વ તેના “માનવવંદ્યુમો' છે. બીજી બધી વસ્તુઓ કરતાં તેઓ જ તેની પરિસ્થિતિને વધુ પ્રમાણમાં સારી યા નરસી બનાવે છે. જે તેની આજુબાજુના માનવબંધુઓની જાત, અર્થાત્ તેમના ગુણ ખરાબ હશે, તે તેની બાકીની પરિસ્થિતિ પણ ખરાબ જ રહેશે; તમે તેની આજુબાજુની ભૌતિક પરિસ્થિતિમાં ગમે તેટલો ફેરફાર કરશે તે પણ તેને સારી બનાવી શકાશે નહીં.
એ સત્ય પણ બીજાં સત્યની પેઠે બેધારું છે. જેમ બીજા માણસે દરેક માણસની પરિસ્થિતિમાં નિકટના સક્રિય અંશરૂપ છે, તેમ દરેક માણસ બીજાં માણસોની પરિસ્થિતિને પણ સક્રિય તથા નિકટનો અંશ છે. જે મારા પડોશીઓની મારા અસ્તિત્વ ઉપર અસર પડતી હોય, તો મારી અસર પણ તેમના ઉપર પડે છે. તેથી જ્યારે પરિસ્થિતિ સુધારવાને પ્રશ્ન આવે, ત્યારે મને પરિસ્થિતિને ઉત્પાદક ગણો કે પરિસ્થિતિના પરિણામરૂપ ગણવો, એ પ્રશ્ન માત્ર દષ્ટિબિંદુને જ સવાલ નથી બની જતે? હું પરિસ્થિતિનું પરિણામ તેમ જ તેનો ઉત્પાદક બેઉં છું. આ બાબતમાં અન્યાશ્રયત્વ રહેલું છે. અને તે હંમેશાં રહ્યું હોવું જોઈએ. ફેર એટલે કે, સમાજની પ્રારંભિક દશામાં માનવ પરિસ્થિતિનું ક્ષેત્ર બહુ નાનું હતું, તેમ જ તેની અને વ્યક્તિ વચ્ચેના સંબંધે પણ સીધા સાદા હતા. પરંતુ હવે તે પરિસ્થિતિ બહુ વિસ્તૃત બની ગઈ છે, તથા તેની અને વ્યક્તિ વચ્ચેના સંબંધ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org