________________
२०२
સર્વોદયની જીવનકળા કરવાનું પણ મન થાય. આપણું માનવબંધુઓ પિતાની
પરિસ્થિતિની જ પેદાશ નથી; તેથી તે તેઓ આપણાં આદર તથા સેવાને પાત્ર છે, અને આપણે તેમનાં આદર અને સેવાને પાત્ર છીએ.
તેમ છતાં, એ સિદ્ધાંતને બરાબર સમજવામાં આવે, તે તત્વની દૃષ્ટિએ એ સાચે છે. પરંતુ તેને બરાબર સમજવામાં
ડી મહેનત પડે તેમ છે. ખરેખર, આપણે જેને “પરિસ્થિતિ” કે “બાહ્ય સંજોગોમાં કહીએ છીએ, તેને શો અર્થ? એ સિદ્ધાંતને જે સામાન્ય અર્થ કરવામાં આવે છે, તેમાં તે પરિસ્થિતિને સ્થળની દૃષ્ટિએ જ અર્થ કરવામાં આવે છે; પરંતુ માણસને વજને લગતી પરિસ્થિતિ પણ છે, એ વસ્તુ ભૂલી જવામાં આવે છે. સ્થળભાવનાની રીતે તેની પરિસ્થિતિને એવો જ અર્થ કરવામાં આવે છે કે, ભૌતિક પદાર્થો રૂપે જે વસ્તુસ્થિતિ તેને વીંટળાઈને અને તેને ઘેરીને રહેલી છે તે. જેમ કે, તેનું જીવન જે સ્થળે વ્યતીત થાય છે તે સ્થળની ખાસિયતે, તેના શરીર ઉપરનાં કપડાં, તેનું ઘર, તેનું ઘર જે ગામ કે શહેરમાં આવ્યું છે કે, તેના ભાણામાં રહેલો ખોરાક, તેને સરસામાન, તેની બારીમાંથી નજરે પડતા દેખા, રસ્તાઓની રચના, ગટર, કારખાનાં તથા નિશાળમાં નેકરી, આવવા-જવા માટે વાહનવ્યવહારની સગવડ – ઈત્યાદિની અનંત યાદી. એ બધાને સુધારે, તેમની “વહેંચણી” બરાબર કરે, એટલે તમે માણસને સુધારી શકશે, એમ આપણને કહેવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત આપણે ભૂલવું ન જોઈએ (જોકે, આપણે સામાન્ય રીતે ભૂલી જ જઈ એ છીએ) કે, દરેક માણસની પરિસ્થિતિનાં સૌથી વધુ સકિય તમાં તેને તથા તેના પડોશીઓને ભૂતકાળમાંથી જે ટેવે, રૂઢિઓ અને પરંપરાઓ મળી છે, તેમનું આખું તંત્ર પણ છે. એ સંજોગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org