________________
ગુણવિકાસ
૨૦૧ તરીકે તે સિદ્ધાંતને સ્વીકારવા આપણે વધુ તૈયાર હોઈએ છીએ. ગુનેગારે અને બદમાસને તે સિદ્ધાંત આપણે છૂટથી તથા ઉદારતાથી લાગુ કરીએ છીએ. મજૂરોની કંગાળ ચાલીઓમાં રહેનારા લોકોના દુરાચારે તેમની પરિસ્થિતિને આભારી છે એમ ઘણી વાર બતાવવામાં આવે છે, અને તે
ગ્ય પણ છે. પરંતુ, તેમના સદ્દગુણે, કે જે તેમના દુર્ગુણ જેટલા જ સ્પષ્ટ હોય છે, તેમને પણ તેમની પરિસ્થિતિને જ આભારી ઠરાવવા, એ તે તે કઠોર પરિશ્રમ હેઠળ કચરાતાં મનુષ્યનું અપમાન કરવા જેવું જ હું માનું. ફાંસીએ લટકવાની રાહ જોઈ રહેલા ખૂનીને આપણે એવું આશ્વાસન ભલે લેવા દઈએ કે, તેની પરિસ્થિતિ જો જુદી હોત, તો તેની આવી વલે ન થઈ હત; તેમ જ જે સમાજે તેને ફાંસીની શિક્ષા કરી છે, તેને પણ એવું માનવાનું કહી શકાય. પરંતુ રણભૂમિ ઉપર વીરતા બતાવવા બદલ વિકટોરિયા કંસ મેળવનારને એમ કહીએ કે, આ માન તારી પરિસ્થિતિને આભારી છે, નહિ કે તને, તે તે કદી ન ચાલે. ઉપરાંત હું એમ પણ માનું છું કે, આપણા પાડોશીએ આ રીતે ઉદારતાથી આપણા દુર્ગુણેને આપણું સંજોગોનું પરિણામ બતાવે, તે વસ્તુ આપણામાંના ઘણા ચલાવી પણ લે; પરંતુ આપણામાંના બહુ ઓછા – અને તેય જે ભારે હલકટ હશે તેઓ જ પોતાની જાતને માટે પોતે જ એમ કરતા હશે. જ્યારે આપણે પોતે એ ઉદારતા આપણી જાત પર વાપરવા જઈએ છીએ, ત્યારે અંદરથી એક અવાજ જાણે બેલી ઊઠે છેઃ “તે ખેટું છે.” ગમે તેમ તેય, જે લોકો ચાલીઓમાં રહે છે, તેઓ દેવળની છાયામાં કે યુનિવર્સિટીની હદમાં રહેતા લોકો કરતાં વધુ પ્રમાણમાં પિતાના સંજોગો વડે ઘડાયેલા છે, એમ નથી જ. અને એ કારણે આપણામાંના કેટલાકને એ સિદ્ધાંત જતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org