________________
૧૮
સર્વોદયની જીવનકળા અને ક્રિયાઓમાં ઉત્તમતા સિદ્ધ કરી શકાય. આ પ્રમાણે, કેળવણીની આડકતરી પદ્ધતિ જ અંતઃકરણની કેળવણીના પાયામાં રહેવી જોઈએ; સીધી પદ્ધતિ તે છેક છેવટની કક્ષા માટે અનામત રાખવી જોઈએ. તે વખતે તે કદાચ અસરકારક થઈ શકે. પ્રારંભમાં તો તે નિરર્થક જ નીવડે છે; વચગાળામાં જરૂર લાગે તે સંભાળપૂર્વક તેને ઉપગ ભલે કરવામાં આવે. તમે કોઈને વ્યાખ્યાન આપીને પિયાને વગાડનાર નહિ બનાવી શકો. તેને માટે તે તમારે તેને પિયાને આપવો જોઈએ, અને એના પડદા ઉપર હાથ ચલાવવાનો ઉદ્યોગ કરતો તેને કરી મૂક જોઈએ. નીતિના દાખલામાં પિયાનાના પડદાને સ્થાને નાગરિકનું પોતાના ધંધા અનુસાર રેજનું કામકાજ છે. તેની મારફત તે જે કંઈ સંગીત નિપજાવી શકે, તે નિપજાવતાં એ ભલે શીખે. જે તેમાંથી કાંઈ જ સંગીત ન નીપજે, તો માની લેવું કે તેની સામે જે મૂકવામાં આવ્યા છે, તે પિયાનાના પડદા નથી, પણ પડદા વિનાનું પાટિયું જ છે. એ દુર્દશા આજે લાખ લોકેની છે. “માનવજાત સુધારવા” ઈચ્છનારાએ એ પહેલે સુધારે એ જ કરવા જેવું નથી?
અલબત્ત, માનવજાતને વંશ જરૂર સુધારોઃ મેન્ડેલની પદ્ધતિ મુજબની વૈજ્ઞાનિક વિણામણથી, કે બીજી કઈ પદ્ધતિ મુજબની વૈજ્ઞાનિક વિણામણથી. જગતને વંશસુધાર વિદ્યાના નિષ્ણાતોના નિયંત્રણ હેઠળ મૂકે; અથવા હાલમાં સૂચવવામાં આવે છે તેમ, રાજ્ય તરફથી જેમને પરવાનો મળ્યું હોય, તેવાં અમુક પસંદ કરેલાં સ્ત્રી-પુરુષ દ્વારા જ પ્રજોત્પત્તિ કરાવે. જ્યાં સુધી ન જોઈતા વંશવેલા નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી, તથા આખી પૃથ્વીમાં તમારી કલ્પના મુજબના સંપૂર્ણ વિકસિત વ્યક્તિત્વવાળા, “પ્રદર્શન કરવા યેગ્ય” તથા નીતિમત્તાના ખાં જેવા લોકેત્તર મનુષ્ય સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org