________________
ગુણવિકાસ આપવામાં આવે, તેમને સાક્ષાત્ આચરવાને અભ્યાસ ન કરાવવામાં આવે, ત્યાં સુધી તે માત્ર “ભયા”માં જ રહે છે, પણ “ગયા'માં આવતા નથી. આજે કેટલાય ઉત્તમ જ્ઞાનની એ જ કરુણુ વલે થાય છે. કાર્બાઈલ જણાવે છે કે, કોઈ પણ બાબત અસરકારક રીતે શીખવવાને માર્ગ તેને જાતે કરી જોવાનું છે. એ વસ્તુ નીતિશિક્ષણને તે ખાસ લાગુ પડે છે.
એક અનુભવી શિક્ષકે એક વખત જણાવ્યું હતું કે, તમારે માનવ ચિત્તને કેળવવું હોય તો તેને પિતાને કેળવવાનું છેડી બીજી કઈ વસ્તુને કેળવે.” અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, “બીજી કોઈ વસ્તુ’ તે કઈ ત્યારે તેણે જવાબ આપે, “શરીર”. એટલું કહીને તેણે ડહાપણ ભર્યા શબ્દોમાં જણાવ્યું કે, “શરીર’ તો દરેક પ્રકારની સર્જક કુશળતા પ્રાપ્ત કરવાનું સાધન છે. જડવાદીઓ કહે છે તેમ, “યંત્રસંચાલિત મડદું નથી. તે જ પ્રમાણે તમારે જે મનુષ્યના “અંતઃકરણ ને કે “નીતિભાવનાને કેળવવાં હોય, તો તેમને જ સીધાં કેળવવાનું પડતું મૂકવું ઠીક થઈ પડશે; ખાસ કરીને શરૂઆતમાં. તેને બદલે તે અંતઃકરણ જે સાધનોનો ઉપયોગ કરે છે તે સાધનને, અર્થાત્ ઇન્દ્રિયોને, કે પિતાનું કાર્ય કરવામાં એ ઈદ્રિયો જે વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે તે બધાંથી સજજ એવા આખા શરીરને કેળવવાનો પ્રયત્ન કરે. માનવ શરીરનું સાચું સ્વરૂપ સમજે; જે શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા અંતરાત્મા વ્યક્ત થાય છે, તે સિવાયનું અંતઃકરણ તે નકશા ઉપર જ અસ્તિત્વ ધરાવનાર વિષુવવૃત્તની રેખાની જેમ આભાસરૂપ જ છે, એ વસ્તુ યાદ રાખે; અને અંતઃકરણની કેળવણી તેના . સાધન શરીરથી જ શરૂ કરે, જેથી તેની બધી પ્રવૃત્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org