SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા છે કે નહીં? અર્થાત્ સારું કામકાજ તે કામદારને પોતાને વધુ કીમતી બનાવે છે કે નહીં? જગતની કુલ કિંમતમાં તેના વ્યક્તિત્વથી સ્પષ્ટ ઉમેરે થાય છે કે નહીં ? જગતમાંથી તેને દૂર કરવામાં આવે તે તેના માનવબંધુઓને બેટ તેમ જ નુકસાન જાય કે નહીં? મારું એમ માનવું છે કે જરૂર જાય. આજકાલ વસ્તી ઓછી કરવાની જે જનાઓ રજૂ થાય છે, તેમનું કારણ એ નથી કે, બધા જ માણસને પૂરી પડી શકે તેટલા પ્રમાણમાં “ગળી ચીજો નથી, પરંતુ તેમની પાછળ ઝાંખું ઝાંખું એ દર્શન રહેલું છે કે, અત્યારે જે જાતની વસ્તુસ્થિતિ છે તે પ્રમાણે જોતાં, આ નવા આવનારાઓમાંને માટે ભાગ રવીવ મલીને જ બનવાનો છે; અને તેથી તેઓ પોતાની જાતે કીમતી નહીં હોય એટલું જ નહીં, પણ સાથીદાર તરીકે, મિત્ર તરીકે, પડોશી તરીકે, કે પ્રેમી તરીકે કીમતી થઈ પડવાના નથી. પરંતુ મારી આ માન્યતાને માટે કારણે રજૂ કરતા પહેલાં, હું એક બે અનુષંગિક બાબતો ઉપર તમારું ધ્યાન ખેંચવા ઇચ્છું છું. ગયા વ્યાખ્યાનમાં મેં પ્ર. રૉઇસનું વાક્ય ટાંક્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય નીતિનિયમેનું ઉચ્ચ શિક્ષણ આપવા માટે હાલમાં આડકતરી રીતે અખત્યાર કરવી જોઈએ.” ઉપરાંત, તેની સાથે મેં કહ્યું હતું કે, સામાન્ય નીતિશિક્ષણ માટે પણ આડકતરી રીત જ સૌથી ઉત્તમ છે. (અને “નીતિ” એ નામ માણસના “ગુણ” માટે વપરાતાં અનેક નામોમાંનું જ એક છે.) નીતિશિક્ષણ જ્યારે સીધું જ નીતિસિદ્ધાંત વિષે વ્યાખ્યાન દ્વારા, લેખ દ્વારા કે ઉપદેશ દ્વારા આપવામાં આવે છે, ત્યારે તેની કશી ખાસ અસર નીપજતી નથી. જે સદ્ગુણેને ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy