________________
ઉદ્યોગને વહીવટ સારી પેજનાની તરફેણમાં જતી કરશે. વિશ્વ-રચનામાં એ વસ્તુને મળતું બીજું કંઈ દેખાતું નથી.
આ પ્રકરણ પૂરું કરતા પહેલાં હું વ્યવહારુ ટ્રસ્ટી પણાને બીજો તથા વધુ પરિચિત દાખલો આપું.
થોડા દિવસ ઉપર જ કેલસાની એક ખાણની વાત મારા સાંભળવામાં આવી. તે ખાણના મજૂરે અને માલિકોએ કઈ પણ પ્રકારે પોતાની વચ્ચેથી એક “સાધુ” માણસને શોધી કાઢ્યો હતો. તે માણસ તે ખાણમાં કામ કરતા સામાન્ય મજૂર જ હત; પણ તેણે ધીમે ધીમે બધા પક્ષેને આદર પ્રાપ્ત કર્યું હતું, અને તેને મુકાદમ તેમ જ વ્યવસ્થાપકની પદવીએ ચડાવી દેવામાં આવ્યું હતું. તેનું કામ દરેક ઝઘડામાં બંને પક્ષેના ટ્રસ્ટી તરીકે કામ કરવાનું હતું. કેઈએ તેને મત આપીને એ કામ માટે ચૂંટી કાઢયો નહોતો; પણ કુદરતી રીતે પિતાની યેગ્યતાના બળથી જ પસંદ થઈને તે એ પદવી પામી શક્યો હતો. તેમ છતાં તેની તે પદવી દરેક જણ બરાબર જાણતું હતું, તથા કબૂલ રાખતું હતું. અને તેનું પરિણામ એ આવ્યું કે, “બંને પક્ષે સગા ભાઈઓની પેઠે મળીને કામ કરતા હતા.” હું આ રસિક હકીકતને “મજૂરોના પ્રશ્નના અંતિમ નિરાકરણ” તરીકે નથી રજૂ કરતે. પરંતુ એનાથી એટલું તે સૂચિત થાય છે જ કે, એ વસ્તુ સિવાયનું બીજું કઈ “નિરાકરણ” જેના ઉપર તે લખવામાં આવ્યું હશે તે કાગળિયા જેટલી વસાતનું પણ નહીં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org