________________
સર્વોદયની જીવનકળા
૧૮૯
તેમને મતદારાના અનિશ્ચિત ટેકા ઉપર પણ નલવાનું નથી હેતું. વસ્તુતાએ તેઓ વિશ્વાસપાત્ર અથવા સ્ટી જેવા વના જ માણસા હાય છે. પ્રો. રૌઇસ આપણને ઔદ્યોગિક સંસ્કૃતિના મુશ્કેલ તથા નાજીક વ્યવહાર સંભાળવા માટે એવા જ માણસે શેાધી કાઢવાનું કે તૈયાર કરવાનું સૂચવે છે. એટલી નિરાંત છે કે, એવી અગત્યની નાણાંકીય ખાખતાને અંતિમ નિર્ણય કરવાનું એવા લેાકેાના હાથમાં હોય છે. અત્યારનું રાજતંત્ર કે જે તદ્દન જુદી જાતનાં જ કામકાજ કરવા માટે ઊભું કરવામાં આવ્યું છે, તેના હાથમાં ઉદ્યોગોને વહીવટ સોંપવાની આપણી આજની પ્રથાથી જે ભારે હાનિકારક ઢીલા થાય, તે બધામાંથી આપણને બચાવી શકાય તેટલા એ લેાકેા જ બચાવી લે છે; કારણકે નાણાંકીય વ્યવહારોના ક્ષેત્રમાં ઢીલ એ ભારે નુકસાનકારક વસ્તુ નીવડે છે.
એમ ખની શકે કે, જેમ જેમ કેળવણીનું સામાન્ય ધારણ ઊંચું આવતું જશે, તેમ તેમ રાજકીય સ ંસ્થાએ પેાતે જ ટ્રસ્ટીપણાની ભાવનાને માગે વિકસિત થશે. જ્યારે બધા લોકો સમજી જશે કે, આંતરરાષ્ટ્રીય સબધાના ક્ષેત્રમાં સહકાર વધારવા હોય તેા ચૂંટણીના પરિણામ ઉપર આધાર રાખતા અમુક રાજકીય પક્ષના માણસા કરતાં કાયમી કે લાંખા સમય સારુ નીમેલા કુશળ ટ્રસ્ટીએ જ વધુ સફળ નીવડી શકે, તેમ તેમ તે વસ્તુ વધુ વેગવંત બનતી જશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એવા લેાકેાની નિમણૂક તથા તેથી નીપજતાં સુપરણામા જોઇ, રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ તેવા માણસેાની નિમણુકનું પ્રમાણ વધતું જશે. એવે દિવસ પણ આવશે કે જ્યારે લોકપ્રતિનિધિત્વની મર્યાદા સમજાઇ જશે, અને લેાકેા પેાતાની તે સત્તા અમુક ખાખતામાં કઈ વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org