________________
ઉદ્યોગને વહીવટ
૧૮૧ ઉપચાર કરવાનું નહીં હોય, પરંતુ તેનું કામ તે સમાજમાં જે કઈ દઢ તથા હિતકર સામાજિક પ્રવૃત્તિઓ હયાત હોય, તેમને મજબૂત કરવાનું, વિકસાવવાનું અને શક્ય હોય તે આખા જગત જેટલી વિસ્તૃત બનાવવાનું હશે. પરસ્પર વીમે ઉતારવાની સંસ્થાના ઈતિહાસ ઉપરથી જણાય છે કે, તે સંસ્થા એવી સામાજિક પ્રવૃત્તિઓમાંની એક છે. સાચી નાગરિકતાનાં જે ત્રણ તો આગળ ગણાવ્યાં છે, તે ત્રણે તેમાં મોજૂદ છેઃ નૈતિક બાજુએ દૃષ્ટીનું, વૈજ્ઞાનિક બાજુએ કામ કરવાની સારામાં સારી રીતની માવદત, અને વ્યાવહારિક બાજુએ કુરીઝતા. સમાજના વ્યવસ્થિત જીવનમાં ટ્રસ્ટીપણાના ઉદાહરણ તરીકે પરસ્પર વીમે ઉતારવાની પદ્ધતિને જરૂર મૂકી શકાય, એમ કહીને ઍ. જેસ આ પ્રકરણને ઉપસંહાર કરે છે.
૧૪
ઉદ્યોગોને વહીવટ પ્ર. રઈસે લખ્યું છે કે, નાજુક તેમજ ચર્ચાસ્પદ બાબતનો, અને ખાસ કરીને કટોકટીભરેલા અને આવેશયુક્ત મુદ્દાઓને ઉકેલ લાવવા માટે “આજે કઈ વિશ્વાસુ રાજકારણી, વિશ્વાસુ રાજદ્વારી મુત્સદ્દી કે વિશ્વાસુ રાજકર્તા મળ મુકેલ છે.” આ વસ્તુસ્થિતિ ઔદ્યોગિક સંસ્કૃતિ માટે તો એક ગંભીર અગત્યને પ્રશ્ન ઊભું કરે છે. તેના ઉદ્યોગોનો વહીવટ કેણ કરે? કોના હાથમાં તેના વહીવટની બધી સત્તા સોંપવામાં આવે? ઔદ્યોગિક ક્ષેત્રમાં મજૂરો અને મૂડીદારે, અથવા હરીફ પ્રજાઓનાં વિરોધી વ્યાપારી હિતે વચ્ચે જે તકરારે અને ઝઘડાઓ ઉપસ્થિત થાય છે, તે ઉપર જણાવેલા “નાજુક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org