________________
૧૮૦
સર્વોદયની જીવનકળા જોઈએ. તેમ જ તે પ્રતિનિધિઓ આપણા ન્યાયાધીશેની પેઠે આખી જિંદગી માટે નિયુક્ત થવા જોઈએ. તે જ બધા પ્રયત્નમાં એકધારાપણું આવી શકે. તે લોકેને પિતાના દેશમાં થતી રાજદ્વારી પક્ષની ચડતી પડતી સાથે કે તેમના મતામત સાથે કશી નિસબત ન હોવી જોઈએ. એવા લોકે ધંધેદારી કે વ્યાપારી ક્ષેત્રોમાં ઊંચામાં ઊંચી કક્ષાએ તાલીમ પામેલા વર્ગમાંથી સહેલાઈથી મળી આવશે. ટૅ. રઈસ લખે છે કે, “નાજુક તેમ જ ચર્ચાસ્પદ બાબતેને ઉકેલ લાવવા માટે આજે કઈ વિશ્વાસુ રાજકારણ, વિશ્વાસુ રાજદ્વારી મુત્સદ્દી કે વિશ્વાસુ રાજકર્તા મળવા મુશ્કેલ છે, તેમ જ કટેકટી ભરેલા અને આવેશયુક્ત મુદ્દાઓની બાબતમાં ચુકાદો આપવા માટે છેક જ વિશ્વાસુ અને પૂર્વગ્રહ વિનાને સરપંચ પણ મળવો મુશ્કેલ છે. પરંતુ એગ્ય સામાજિક પરિસ્થિતિમાં વફાદાર, સમજદાર અને ઉદારચરિત ટ્રસ્ટી શોધી કાઢવે એ બહુ સહેલું કામ છે. . . . મારી પેજનામાં ટ્રસ્ટીઓના જે આંતરરાષ્ટ્રીય મંડળની કલ્પના છે, તેના સંરક્ષણ માટે પોલીસ નહીં જોઈએ, કે આંતરરાષ્ટ્રીય લશ્કર કે નૌકાસૈન્ય નહીં જોઈએ. તેને આંતરરાષ્ટ્રીય તકરારેમાં કશે સીધો રસ નહીં હોય, તથા ચાલુ રાજ્યસત્તાઓ સાથે કશા રાજકીય સંબંધ રાખવાનું પ્રયોજન નહીં હોય. . . . હું કબૂલ કરું છું કે, એ જાતનું આંતરરાષ્ટ્રીય મંડળ આજે તે નવાઈની વસ્તુ છે; પરંતુ જે કોઈ પણ જાતની આંતરરાષ્ટ્રીય વીમો ઉતારવાની પદ્ધતિ અમલમાં આવી શકે, તે એ મંડળ અંતે આખી દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી આંતરરાષ્ટ્રીય મંડળ બની જાય.'
આગળના એક વ્યાખ્યાનમાં જણાવવામાં આવ્યું છે કે, રચનાત્મક નાગરિકધર્મનું મુખ્ય કામ સામાજિક અનિષ્ટને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org