SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સર્વોદયની જીવનકળા પરંતુ આ પ્રકરણમાં પ્ર. જૈકસ, પ્રો. રઈસના એ પુસ્તકની વાત નથી કરવા માગતા; પરંતુ પિતાના મૃત્યુ પહેલાં થોડા જ વખત અગાઉ ઍ. રોઈસે ઉપરના પુસ્તકના અનુસંધાનમાં જ જે પુસ્તક પ્રસિદ્ધ કર્યું, તે પુસ્તકમાંથી એક મુદ્દો બધાના ધ્યાન ઉપર લાવવા માગે છે. તે પુસ્તક છપાયું તે વખતે ગત યુરોપીય મહાયુદ્ધનું પ્રથમ વર્ષ હતું, અને ઘણુ વિચારકે એ જાતનાં યુદ્ધોને ફરી આવતાં બંધ કરવાના પ્રશ્ન ઉપર વિચાર દેડાવી રહ્યા હતા, તેમ જ તે માટે સંખ્યાબંધ જનાઓ રજૂ કરી રહ્યા હતા. તેમાંની મોટા ભાગની આજે ભુલાઈ ગઈ છે, અને ઘણી ખરી તે ભુલાઈ જવાને લાયક પણ હતી. પરંતુ પ્રો. રઈસે રજૂ કરેલી જના યાદ રાખવા લાયક છે; કારણ કે, એ દિશામાં ભવિષ્યમાં કામ કરવા ઈચ્છનારાઓ માટે તે બહુ કીમતી સૂચના રજૂ કરે છે, એમ હૈ. જેક્સ જણાવે છે. જોકે, કેઈ પણ યેજના એવી હતી નથી કે જે અમલમાં આવતાં જ આપોઆપ વિશ્વશાંતિ સ્થપાઈ જાય અને એવું માનનારાઓમાં હૈ. ઇસ કદાચ મુખ્ય હતા. ' . જૈસ જણાવે છે કે, ઘણા વખતથી પ્ર. રૌઇસ આદર્શ સમાજવ્યવસ્થા બાબત અમુક ક૯૫ના વિચાર્યા કરતા હતા. તેમની અગાઉ બીજાઓએ તે જાતની જે જે કલ્પનાઓ જૂ કરી હતી, તે તત્ત્વની દૃષ્ટિએ બહુ અર્થપૂર્ણ હતી, પરંતુ અર્વાચીન જગતની પ્રવૃત્તિઓ સાથે તેમને જીવંત સંબંધ જોડવા માટે જે વૈજ્ઞાનિક આરોજન અને વ્યવહારુ પદ્ધતિ જોઈએ, તે બધાને તેમનામાં અભાવ હતો. પ્રે. રઇસ માનતા કે, વિજ્ઞાન અને ધર્મનું સમાધાન કરવાની જે વાતો ચાલ્યા કરે છે, તે વસ્તુ તે બંનેના સિદ્ધાંતોને કંઈક બંધબેસતા કરી લેવાથી સિદ્ધ થઈ શકવાની નથી, પરંતુ તેને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy