________________
૧૭૩
પરિશિષ્ટ તે ધર્મના મહાન આદર્શોને, વિજ્ઞાનની ચોકસ, વિશ્વાસપાત્ર, અને વ્યવહારુ પદ્ધતિઓ સાથે મેળ બેસાડે આવશ્યક છે. તે ઉપરથી તેમણે આજના વ્યાપારી જગતમાં એવી કોઈ સંસ્થાની તપાસ કરવા માંડી, કે જેમાં અતિ ઉચ્ચ આદર્શો અને અતિ વિકસિત વૈજ્ઞાનિક પદ્ધતિ વચ્ચેનો મેળ પ્રત્યક્ષ અમલમાં મુકાયેલા જોઈ શકાય. અને નવાઈની વાત એ છે કે, તેમને તે ઉદાહરણ અત્યારના કેઈ રાજકીય બંધારણમાં કે કોઈ ધાર્મિક સંઘમાં ન મળ્યું, પરંતુ આજે બધા જેનાથી સારી પેઠે પરિચિત છે તે વીમા-સંસ્થામાં મળ્યું. એ સંસ્થા ભલે કામદારોના મિત્રમંડળ જેવા નાના સ્વરૂપે કામ કરતી હાય, કે આખી જગવ્યાપી સંસ્થા તરીકે કામ કરતી હોય, પરંતુ તેમાં પ્રે. રઇસને પોતે કપેલી સમાજવ્યવસ્થાનું, તેમાં સમાયેલા આદર્શોનું, તેના પાયામાં રહેલી વફાદારીઓનું, અને તેમને વ્યવહારમાં મૂર્તિમંત કરવા અમલમાં મુકાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓનું અપૂર્ણ છતાં પ્રત્યક્ષ ઉદાહરણ મળ્યું.
વિમાનપદ્ધતિને ઈતિહાસ જેઓ જાણતા હશે, તેઓ કબૂલ કરશે કે, એ કોઈ મહાકથાનું કે અદ્દભુત કથાનું વસ્તુ બને તે છે. તેના શરૂઆતના સંસ્થાપકને જે મહાભારત પરિશ્રમ ઉઠાવ પડયો, તથા જે વિરોધ સહન કરવા પડ્યા, તે વિષયમાં તે એક મહાકથારૂપ છે; અને જે વસ્તુ પહેલાં માની ન શકાય તેવી ગણાતી હતી, તેને ગણતરીની કુશળતાથી ઔદ્યોગિક જીવનની રોજિંદી સામાન્ય વસ્તુ બનાવી દેવામાં આવી, એ અંશમાં તે એક અદ્ભુત કથારૂપ છે. ઔદ્યોગિક સમાજના પરસ્પર વિઘાતક સ્વાર્થોને શાંતિમય અને ઉપકારક સહકારમાં વાળી લેવામાં વીમો ઉતારવાની સંસ્થાએ આપેલ ફાળે અજોડ છે, અને તે વસ્તુ, શરૂઆતમાં અનુલંઘનીય લાગતી મુશ્કેલીઓને સામનો કરતાં કરતાં વૈજ્ઞાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org