________________
પરિશિષ્ટ મૂળ પુસ્તકમાં ૧૩ મા પ્રકરણ પછી ૧૪મું પ્રકરણ ટ્રસ્ટીપણાનો દાખલ” એ નામનું છે. તેમાં લેખકે શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેસિયા રેઈસની ઓળખાણ કરાવી છે. પ્રે. રઈસ જન્મસિદ્ધ દાર્શનિક હતા; અને તે વિષયમાં તેમણે આપેલા ફાળાને કારણે જ તેમની ખ્યાતિ પણ થયેલી છે. પરંતુ પછીનાં વર્ષોમાં તેમણે પોતાના દાર્શનિક સિદ્ધાંત ઉપરથી વિશિષ્ટ સમાજશાસ્ત્ર તારવવાનું કઠણ કામ માથે લીધું. બન્યું પણ એવું કે, તેમના દાર્શનિક સિદ્ધાંત એવી જાતના હતા કે, તેમને વેપાર-વ્યવહારમાં ઝટ લાગુ કરી શકાય, – કદાચ દાર્શનિક સિદ્ધાંતો માટે એ ગુણ નવીન જ કહેવાય. તેમણે પોતાના સિદ્ધાંતોને “વફાદારીની ફિલસૂફી એવું નામ આપ્યું. આ ગ્રંથના લેખક હૈ. જેકસ “જીવનનું વ્યાવહારિક તત્ત્વજ્ઞાન” શેધતાં જુવાન સ્ત્રીપુરુષને તે પુસ્તક વાંચી જવાની ખૂબ ભલામણ કરે છે. અલબત્ત, તે સાથે સાથે જ કબૂલ કરતા જાય છે કે, જેમને પોતાની તર્કશક્તિ અને દલીલબાજીની શક્તિ વધારવી હોય, તેમણે તો એ પુસ્તક કરતાં બીજા દાર્શનિકનાં પુસ્તકે જ વાંચવાં જોઈએ. પરંતુ જેમને તત્ત્વજ્ઞાનની દેરવણી હેઠળ કીમતી જીવનપ્રયે કરવાની તેરી છે, તેમને બીજા કેઈ પુસ્તક કરતાં તે પુસ્તક વધુ ઉપયોગી થશે, એમ તેમનું માનવું છે. ઘણએ એ પુસ્તક વાંચ્યા પછી, એની ભલામણ કરવા બદલ પ્રો. જેકસનો આભાર માન્યો છે, એમ તે ઉમેરતા જાય છે. ૧. “ફિલોસોફી ઓફ લેચલ્ટી” – મેકમિલન કંપની, ન્યૂયોર્ક.
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org