________________
૧૬૭
હકે અને ફરજો દેવરાવે છે કે, આપણી નાગરિકતા દ્વારા આપણે જે કાંઈ લાભરૂપે મેળવીએ, તેની કિંમત, આપણે તેમાં સેવારૂપે જે કાંઈ નાખીએ તેના વડે જ નિયંત્રિત થતી હોય છે. આપણે એક બાજુ હકની વાત કરીએ, તેની સાથે જ બીજી બાજુ આપણી ફરજો આવીને ખડી થાય છે. ટ્રસ્ટીપણું અને જવાબદારી એ બે શબ્દમાંથી ટ્રસ્ટીપણું શબ્દ જ વધુ પસંદ કરવા જેવો છે. કારણ કે, એ શબ્દ આપણને આ બધી વસ્તુઓ વધુ અસરકારક રીતે યાદ દેવરાવે છે. તે શબ્દ આપણને આપણા હકે અને આપણી ફરજોને ભેગી એક જ વસ્તુ તરીકે જોતાં શીખવે છે. કારણ કે, એક વાર આપણે સ્વીકારી લીધું કે નાગરિકની મૂળભૂત હક “ટ્રસ્ટી ગણાવાનો છે, તેની સાથે જ તેની મૂળભૂત ફરજ આવીને ઊભી જ રહી કે તેણે તેને સોંપવામાં આવેલું ટ્રસ્ટીપણું બરાબર અદા કરવું જોઈએ. ઉપરાંત, એ શબ્દથી આપણે “હકો અને ફરજે” એ બંને શબ્દોનો નર્યો રાજકીય અર્થ કરવાની ભૂલમાંથી બચી શકીશું. સાથે સાથે જ એ શબ્દથી આપણને ટ્રસ્ટીપણાથી ચાલતા ઊંચામાં ઊંચી કક્ષાના વ્યાપારી વ્યવહારો તથા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેને આધારે જ ચાલતી સૌથી વધુ આબરૂદાર લેવડ દેવડાની વાત યાદ આવે છે; અને સમાજને ચાલુ રહેવામાં એ બધા વ્યવહાર કે માટે તથા હિતકારક ભાગ ભજવે છે, તે પણ સ્પષ્ટ સમજાય છે.
એ વસ્તુ અત્યારે કોઈ કઈ સ્થળે વ્યાપેલા નિરાશાવાદને સુધારવામાં પણ ઉપયોગી નીવડશે. ઔદ્યોગિક બાબતોમાં આજના ઉદ્યોગે ટ્રસ્ટીપણાની એક એવી શક્તિ વિકસાવી છે કે જે રાજકીય ક્ષેત્રમાં થયેલા તે જાતના વિકાસની સાથે સારી રીતે સરખામણીમાં ઊતરી શકે તેમ છે. એટલે જ્યારે માનવજાતિની એકતાના સાધન તરીકે રાજકીય પ્રજાતંત્રવાદથી આપણને નિરાશા ઊપજે, ત્યારે “ટ્રસ્ટીપણું” શબ્દ આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org