________________
છો. કોઈ પણ કૃતિ દ્વારા અંતે શું પ્રયોજન સિદ્ધ થાય છે, તે જાણ્યા વિના, તેનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. તેમાંય માણસ જેવી સજીવ કૃતિનું સ્વરૂપ તે કદી ન સમજાય. એ દૃષ્ટિએ નાગરિક જવાબદારી ઉઠાવવાની અને તેને પાર પાડવાની ક્રિયા કરે છે, એમ જરૂર કહી શકાય.” (પા. ૧૬ ૦.) સર્વોદય કે ઉન્નતિના સમાજશાસ્ત્ર અનુસાર માણસ એટલે નાગરિક, અને નાગરિક એટલે જવાબદાર વ્યક્તિ. ““સારી કામદારી' જ સારી નાગરિકતાને પામે છે, તથા તેના સર્વ સગુણોનું મૂળ છે...સારી નાગરિકતાને અર્થ બીજે ગમે તે થતું હોય, પરંતુ તેના પાયામાં સાર-કામદાર-હેવાપણું હોવું જ જોઈએ. નાગરિકની કેળવણીએ એ વસ્તુ કદી ભૂલવી ન જોઈએ.” (પા. ૧૪૭-૮.)
અને આમ જણાવી તે નાગરિકની કેળવણીના ક્ષેત્રમાં પણ કેટલાંક મૌલિક વિધાન કરે છે. “મારી કલ્પના પ્રમાણે, તેના ઘડતરમાં ત્રણ મૂળતા એકત્રિત થયાં હોય છે. તે ત્રણમાંનું દરેક બીજા બેની અંદર વ્યાપેલું હોય છે, તથા તે જ પ્રમાણે બાકીનાં બે પણ તેની અંદર વ્યાપેલાં હોય છે. તે ત્રણ તો આ છેઃ નૈતિક બાજુએ ટ્રસ્ટીપણું, વૈજ્ઞાનિક બાજુએ કામ કરવાની સારામાં સારી રીતની આવડત, અને વ્યાવહારિક બાજુએ કુશળતા.*” (પા. ૧૪૯.)
ટ્રસ્ટીપણાની આ વસ્તુથી ગાંધીજીની તે બાબતની શીખ વાચકને યાદ આવશે જ. જેકસ ટ્રસ્ટીને અર્થ જ નાગરિક કરે છે. “માણસ સ્વભાવથી જ જવાબદાર વ્યક્તિ છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તે જન્મથી જ ટ્રસ્ટી છે. . . . ટ્રસ્ટી એટલે મારા અર્થ પ્રમાણે એ માણસ કે જેને અમુક જવાબદારીઓ સંપવામાં આવતી વખતે બીજાઓને તેના ઉપર અચૂક વિશ્વાસ હોય છે, તે પિતાનું કામ કાયદેસર બજાવશે એટલું જ નહીં, પરંતુ પિતાને શોભાસ્પદ થઈ પડે તેવી રીતે બજાવશે. તેનાથી ઊલટો તે દગાબાજ – વિશ્વાસઘાતી
* વાચકને અહીં “ગઃ કર્મસુ કૌશલમ્' એ ગીતાસૂત્ર યાદ કરવા સૂચવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org