________________
१७
માણસ; અને સૌથી ખરાબ દગાબાજ તે એ કહેવાય કે, કાયદાની દૃષ્ટિએ તે પિતાના ટ્રસ્ટી-ધર્મનું બરાબર પાલન કરવું, પરંતુ શબ્દોના વિતંડાબાજી-ભરેલા અર્થો કરી તત્ત્વની દૃષ્ટિએ તેને ભંગ કરે. ટ્રસ્ટીના ધર્મો કાયદામાં ગમે તે રીતે વર્ણવવામાં આવ્યા હોય, પરંતુ તે બધા પાછળ એક એવું ભરોસાનું તત્ત્વ રહેલું હોય છે કે, બહારના કઈ પણ પ્રકારના દબાણ વિના, માત્ર પોતાની માણસાઈના ખ્યાલથી તે અમુક રીતે જ વર્તશે.” (પા. ૧૫૯, ૧૫૦. )
આ વ્યાખ્યાના નાગરિકને સ્વાભાવસિદ્ધ હક ત્યારે એ હોય કે, કામદાર તરીકે તેને એ ધંધે મેળવવાને હક છે કે જે તેને ઉત્તમતા દાખવવાની અને તે રીતે તેને પિતાના જમાનામાં તથા પિતાને સ્થાને ઉપયોગી બનવાની તક આપતે હેય. તેને કુરતાનો યુવા સૌથી પ્રથમ હોવો જોઈએ. તે પિતે સમાજના સેવક તરીકે આ હક માગી શકે. પરંતુ તે વિષે મજૂરપક્ષના હિમાયતીઓ બેપરવા રહ્યા છે, અને “ઔદ્યોગિક સંપત્તિના પાયા તરીકે વૈયક્તિક કુશળતાને બદલે યંત્રની પરિપૂર્ણતાને સ્વીકારવામાં આવી, ત્યારથી મજૂરવર્ગને જે અન્યાય થયો છે, તેના જેવા માટે અન્યાય હજુ સુધી મજૂરોને કદી પણ કરવામાં આવ્યો નથી. અરે, સમસ્ત માનવજાતિ ઉપર તેનાથી મોટી આફત અત્યાર સુધીમાં કદી ઊતરી નથી.” (પા. ૯૦.)
અને નાગરિક સમાજનો સેવ્ય પણ છે. સમાજ તેની સેવા કરે છે. તે તરીકે “તેને એ હક છે કે, તે પૈસા આપીને જે કાંઈ વસ્તુ ખરીદે, તે પૂરતી કાળજી અને કુશળતાથી બનાવેલી હોય; અર્થાત તેના પૈસાના બદલામાં તેને પૂરતું વળતર મળવું જોઈએ. અને જ્યારે તેમ નથી થતું ત્યારે તેને ચોક્કસ અન્યાય થાય છે.” (પા. ૧૫.)
આજની ફિલસૂફીમાં આ હક બતાવ્યા વગર ફુરસદને હક આગળ ને આગળ કર્યા કરવામાં આવે છે. અને આમ મળતી ફુરસદ એવી બેજવાબદાર રીતે લોક વાપરે છે કે, ફુરસદનું પણ અર્થશાસ્ત્ર ઊભું કરવું પડે છે. લેક ફુરસદ ભોગવતાં પાર વગરને ખર્ચ, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org