________________
કરવાનું હશે......જે સમાજશરીરની સામાન્ય શક્તિ વધારવામાં સફળતા મળે, તે સમાજ પોતે જ......રેગમીમાંસકોએ દર્શાવેલા રોગમાંથી ઘણુને ફેકી દઈ શકશે.” (પા. ૩૮.) ગાંધીજીની રચનાત્મક કાર્યક્રમની ફિલસૂફી અહીં યાદ કરાવવી બસ થશે.
આ દષ્ટિએ વિચારીએ તે માણસ અને તેને ધર્મનું સ્વરૂપ કેવું હોય? આનું નિરૂપણ એ જેકસની એક બીજી મહત્ત્વની વાત છે. “માનવીના હક” એ વસ્તુ પશ્ચિમમાં અપાર ભાવના અને બલિદાનનું કેન્દ્ર બની છે. જેસ એ જ શબ્દ લઈને પિતાનું મંતવ્ય રજૂ કરે છે. પહેલું તે તે સાફ જણાવે છે કે, “હકો અને ફરજે” એ બંને શબ્દોને નર્યો રાજકીય અર્થ કરવાની ભૂલમાંથી બચવું જોઈએ. એટલું જ નહિ, તે કહે છે કે, રાજકારણ પર સમાજ જીવતે નથી; તે જીવે છે ઉદ્યોગ ઉપર. તેથી નાગરિકની કલ્પના રાજકારણી નહિ, પણ ઔદ્યોગિક હેવી જોઈએ. “નાગરિક મુખ્યત્વે એક કામદાર છે.” પરંતુ આજ “તેનાં બધાં કર્તવ્યોની ઈતિ મત આપવામાં અથવા મત મેળવવામાં આવી રહે છે; અને સમાજનું કામકાજ કરનાર કામદાર કે સેવક તરીકેની તથા જેને માટે કામકાજ કરવામાં આવે છે એવા સેવ્ય તરીકે તેની કલ્પના કાં તે ચરે પાડી દેવામાં કે વિસારી દેવામાં આવે છે.” (પા. ૧૦૬.) પરંતુ ખરું જોતાં નાગરિક એકસાથે કામ કે સેવા કરનાર તથા બીજાઓનું કામ કે સેવા લેનાર વ્યક્તિ છે. તે પ્રથમ “ઔદ્યોગિક વ્યક્તિ છે અને પછી “રાજકીય વ્યક્તિ” તે બને છે. એટલે તેના હક કે કરજેને વિચાર મનુષ્યની આ મૂળ સામાજિક વ્યાખ્યાને નજર સામે રાખીને કરવો જોઈએ. તે કહે છે કે, “નાગરિક થવું એને અર્થ જ એ કે સક્રિય રીતે જવાબદાર માણસ બનવું.” “કોઈ પણ વસ્તુનું કાર્ય શું છે તે સમજ્યા સિવાય તે વસ્તુ કેવી છે તે સમજવાનું બીજું કાંઈ જ સાધન નથી... તમે કઈ માણસને ‘બેપગું પ્રાણી” કહીને વર્ણવે છે ત્યારે તે કેવી રીતે ચાલે છે તે બતાવે છે; અર્થાત તે શી ક્રિયા કરે છે તે વિષે કાંઈક કહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org