________________
૧૧૮
સર્વોદયની જીવનકળા અને નવી આવનારી જવાબદારીઓનું સ્વરૂપ નકકી કરવાની સર્વ સત્તા પિતાની પાસે હોવાની ઈચ્છા જ હોય છે. “જવાબદારીએમાંથી મુક્તિ”, કે જેને કારણે કુરસદને સમય આપણને આટલે બધે આકર્ષક લાગે છે, તથા જેને કારણે આપણામાંના ઘણું પિતાની ચાલુ ફરજેમાંથી “છટા’ થવાને વખત ક્યારે આવે તેની રાહ જોયા કરે છે, તેને અર્થ પણ એ જ થાય છે. તે સમય આવે ત્યારે, અત્યારના જુલમગાર સમાજતંત્રે આપણે માટે નકકી કરેલી જવાબદારીઓને બદલે, આપણે આપણી પોતાની જવાબદારીઓ પસંદ કરી શકીએ. મિ. રસેલ પોતાની સમાજવ્યવસ્થામાં કામદાર વર્ગને જે “નિરંકુશ” કુરસદની ખાતરી આપે છે, તેનો અર્થ પણ એ જ થાય છે. કાંઈ પણ જવાબદારી ન હોવી એનો અર્થ તો એ જ થાય કે, કાંઈ પણ કામ કરવાનું જ ન હોવું. અને તે તે મરવા જેવા કંટાળાનું બીજું નામ જ થયું. ગઈ લડાઈમાં લશ્કરમાં ભરતી કરીને જે બિનલશ્કરી લે કોને લઈ જવામાં આવ્યા હતા, તેઓ ઘણી વાર એવું કહેતા સાંભળવામાં આવતા કે, નાગરિક જીવનમાંથી લશ્કરી જીવનમાં દાખલ થવાને લીધે પહેલાંની જવાબદારીમાંથી મુક્તિની જે લાગણી અનુભવાય છે, તેની આગળ યુદ્ધભૂમિના ભયંકર ત્રાસ પણ હળવા લાગે છે. પરંતુ એમ કહેનારા લોકે પોતાની જાતને અન્યાય કરતા હતા એમ જ કહેવું જોઈએ. કારણ કે તેમને જે એમ પૂછો કે, લશ્કરી જીવન સ્વીકારવાથી કઈ ખાસ જવાબદારીઓમાંથી મુક્તિ મળી, તે તેઓ ઘણું ખરું એ જવાબ જ આપશે કે, “કમાવાની જવાબદારી, અને તેને લગતી ચિંતાઓ.” પરંતુ તમે તેમને આગળ પૂછો તો નવાઈની એ હકીકત નીકળી આવશે કે, પિતાની આજીવિકા કમાવાની’ જવાબદારીને બદલે તેમણે બીજી જાતની નવી જવાબદારી વહોરી હતી – અર્થાત્ પુરુષત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org