________________
*
૧૫૭
હક અને ફરજો બાજુ જગદ્રવ્યાપી નિયંત્રણ સ્થાપવા માટે ઇંતેજાર હોય છે, પરંતુ તેને સ્વીકારવાની વાત આવે છે, ત્યારે દરેક પ્રજા તેટલી જ નામરજી બતાવે છે! એ અસંગતતા અમેરિકાના દાખલામાં સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રથમ રાષ્ટ્રસંઘ સ્થાપવામાં મદદ કર્યા બાદ, તે પિતે સૌથી પહેલું તેમાંથી ખસી ગયું.
જવાબદારી માટે પ્રેમ સાથે જ ધિક્કાર–એ પ્રકારની વિરોધી લાગણી માનવસ્વભાવમાં ઊડે રહેલી છે; એટલે તેમાંથી લોકશાહી સમાજોમાં પારાવાર ખેંચાતાણુ નીપજે છે.
ભાષણિયાઓના વપરાશમાં લોકશાહીને એક અપભ્રષ્ટ અર્થ પણ છે, જેથી તે વસ્તુ જ બેહૂદી બને છે. તે અનુસાર નાગરિકને મતાધિકાર એટલે પિતાના નાગરિકબંધુઓ ઉપર જવાબદારી નાખીને, જાતે તેમાંથી છટકી જવાને રાજ્ય તરફથી મળે પરવાને. જોકે, કઈ ચાલાક દલીલબાજ એમ કહી શકે છે, તેમ છતાંય જવાબદારી નાખવા માટે પોતા સિવાયને બીજે કઈ શોધવાની જવાબદારી તે નાગરિકને માથે રહે છે જ! અને લોકશાહીના ઈતિહાસનાં – ખાસ કરીને કરવેરા વિષેનાં – પ્રકરણોમાં, એ જાતની શોધ અને તેમાં મળેલી તાત્કાળિક સફળતાનું બયાન ભરપૂર મળે છે, એની ના નહિ પાડી શકાય. તેમ છતાં જવાબદારી ઉઠાવવાની આવે છે ત્યારે જેમ કડવું લાગે છે, તેમ જવાબદારી લઈ લેવામાં આવે ત્યારે પણ કડવું જ લાગે છે; માત્ર ખર્ચમાં ભાગ આપવાની જવાબદારી આગળ-પડતા અપવાદરૂપ છે ખરી !
પરંતુ જવાબદારીઓમાંથી છટકવાના પ્રયને તપાસતાં, સામાન્યતઃ એમ માલુમ પડશે કે, તેનું કારણ જવાબદારીમાત્ર પ્રત્યે તેમને અણગમે હોય છે એ નથી હોતું, પરંતુ જે જવાબદારીઓ આજે પિતા પર છે તે બીજા પર નાખવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org