SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૪પ જોઈએ; અને સૌથી વધારે તે, બધાની ભેગી મહેનતથી જે ધન પેદા થાય છે, તેની ન્યાયી અને સરખી વહેંચણી થવી જોઈએ. પરંતુ આ બધા પોકારેને હેતુ પ્રશંસાપાત્ર હોવા છતાં, મેં હમણાં ઉપર જણાવેલા અગ્રણીઓએ કપેલી ઔદ્યોગિક નીતિની તુલનામાં તે ઘણા અધૂરા છે. કારણ કે, તે આગેવાનોને મતે તો આખી વસ્તુને મુખ્ય મુદ્દો, કામ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે કે તેના બદલામાં શું મહેનતાણું મળે છે, તે નહોતે. પરંતુ તે વામનને જોતાને લગતે હતો : એ કામ સારું થયું છે કે ખરાબ? તે કામ એવું છે ખરું કે જેને જોઈને માણસો એમ કહી શકે કે, આવી આવી ચીજો ઉત્પન્ન કરનાર આપણી સંસ્કૃતિનું અસ્તિત્વ સાર્થક છે”? અથવા તે એવું છે ખરું કે જેને જોઈને માણસ પોતાના હાથની કૃતિ માટે મગરૂર થઈ શકે, અને ઈશ્વરની પેઠે પોતાની સૃષ્ટિ તરફ નજર કરતાં પોતાને મહિમા નજરે પડવાથી એમ માની શકે કે, “વાહ! બધું મને છાજે તેવું જ થયું છે ? જે આ પ્રશ્નોનો જવાબ હકારમાં આપી શકાય, અને કામ પતે જ નિઃશંક રીતે ઉત્તમ ઠરે, તે જ અને ત્યાર પછી જ તમે “તક', “પરિસ્થિતિ”, “સંબંધ” અને “વળતર” ની વાત કરી શકે. પણ જે તે પ્રશ્નોને જવાબ નકારમાં આવે, અને તમારું કામ નિઃશંક હલકું ઠરે, (જેમ કે જાળાવાળા જેવું કપડું, તકલાદી મકાન, બેટી પેટંટ” -રામબાણ દવા, પાવડર છાંટીને શોભીત કરેલો ચહેરે, કે પિસા ફેસલાવી લેવા કરેલી બીજી કોઈ પણ છેતરપિંડી) તે પછી તમારી “તક’, તમારી પરિસ્થિતિ' તમારા સંબંધો', * બાઇબલ (જેનેસીસ ૧-૨૪) માં એવો ઉલ્લેખ છે કે, આખી સૃષ્ટિ સરછ રહ્યા પછી ઈશ્વરે તેના તરફ નજર કરી જોઈ, અને તેને લાગ્યું કે, તે બહુ સારી હતી. સ–૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy