________________
સર્વોદયની જીવનકળા અને તમારું “વળતર ધરમૂળથી જ ઝેરી બની જાય અને
ખરાબ” જ નીવડે. પછી તમે ઉપર ઉપરથી રાજકીય દૃષ્ટિએ ગમે તેટલું વૈદું કરવા જાઓ, તો પણ તેમને સુધારી શકો નહિ.
સારી પરિસ્થિતિ, “સારા સંબંધ” વગેરે બાબતે મૂળ સારી રીતે કરેલા કામના પરિણામરૂપ હોય છે; ખોટી પરિસ્થિતિ, ખોટા સંબંધ, વગેરે બાબતો તેથી ઊલટી જાતના કામના પરિણામ હોય છે.
આ રીતે કપેલી ઔદ્યોગિક નીતિમાં, અને જુદી જુદી ધાર્મિક પરિષદની વાર્ષિક બેઠકોમાં ઉદ્યોગને “ઈશુમય” બનાવી દેવાની કરાતી વાતમાં ઘણો જ ફેર છે. આ ઔદ્યોગિક નીતિ તે જગતના કામદારને જ નીતિનું કેન્દ્ર બનાવે છે; નહીં કે તેના છેડાઓને, ઉપર-ઉપરનાં છોગાંઓને, બહિરંગ પરિસ્થિતિને, કે તેના કુરસદના સમયને. તે તો રોજના કામકાજને જ ઉપાસનારૂપ બનાવી મૂકે છે. અને લુહાર કે ખેડૂતના કામથી માંડીને હાથીદાંતનું કોતરકામ કરનારા કે ધાર્મિક ચિત્ર દોરનારા, એમ સૌના ધંધાઓને માજસેવાનું ક્ષેત્ર તથા ઈશ્વરપૂજાનું ધામ બનાવી મૂકે છે. '
તિષ વગેરેનાં પ્રાચીન યંત્રોને એક સંગ્રહ જોતી વેળા એક વખત મને એક અતિ ઉત્તમ “ઉન્નતાંશયંત્ર” (astrolabe) બતાવવામાં આવ્યું. તે યંત્ર બનાવવામાં ભારે કુશળતા વાપરવામાં આવી હતી; અને કેપનિકસની પહેલાંના સમયમાં તે સૂર્ય અને તારાઓને વેધ જાણવા માટે ઉપયોગમાં લેવાતું હતું. તેને હિંદુસ્તાનના એક મુસલમાન કારીગરે હજાર વર્ષ પહેલાં બનાવ્યું હતું. તેની સુંદર કાંસાની થાળીની આસપાસ નાજુક અરબી લિપિમાં એક લેખ કોતરવામાં આવ્યા હતા. તેનું ભાષાંતર મને યાદ છે તે પ્રમાણે આવું હતું: “આ યંત્ર અતિ મહાન પરમેશ્વરના નમ્ર સેવક હુસેનઅલી – યંત્રશાસ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org