________________
સર્વોદયની જીવનકળા કરનારાઓમાં વીરતા અને અન્ય વફાદારી –એ તેમના નીતિશાસ્ત્રના મૂળ ગુણે હતા; અને કરેલા કામમાં આવડતને અભાવ, ઉપર ઉપરનો જૂઠે દેખાવ અને રેઢિયાળપણું, તથા કામ કરનારમાં કાયરતા અને દગાબાજી, એ તેનાથી ઊલટા એવા દુગુણે હતા. તેઓએ ઔદ્યોગક જમાના આગળ એ જાતની ઔદ્યોગક નીતિ રજૂ કરી. એ ત્રણેનો સંદેશ તત્ત્વની દષ્ટિએ એકસરખું જ હતું; ભલે પછી અમુક બાબતમાં કોઈનો સૂર ઊંચ-નીચે હોય. તે ત્રણેય કહેતા કે, જન્મથી જ માણસ મજૂરી કરવા સરજાયે છે; અને તે પોતાનું કામ સારી યા ખરાબ રીતે કરે તેના ઉપર તેની ઉન્નતિ કે અવનતિન આધાર છે. ઉપરાંત, એ ત્રણેની સંદેશ આપવાની રીત એવી ઝનૂનભરી હતી કે, તેઓ જાણે છેક છેવટની અણીએ મરણિયા થઈને ઝઝી રહ્યા છે. તેઓની પરિભાષા ધર્મગુરુઓની નહોતી કે રાજકીય નેતાઓની પણ નહોતી. તેમના દેશમાં ધર્મગુરુઓની સ્વર્ગની વાતની મીઠાશ પણ નહતી, કે રાજકીય નેતાઓની વિજય અથવા સામ્રાજ્યની વાતોનો ધમધમાટ પણ નહે; પરંતુ તેની અંદર એક પ્રકારની એવી ઊડી ધાર્મિકતાની સુવાસ વ્યાપેલી હતી કે, પ્રચલિત ધર્મોના ભાવનાને મળતી ન આવવા છતાં તે છેક છેડા સુધી નૈતિક કહી શકાય તેવી હતી.
છેલ્લાં ઘણાં વર્ષોથી આપણા વપરાશમાં એવા ઘણા પિકારો અને શબ્દ આવ્યા છે, કે કેટલાય લોકને તેઓ ઔદ્યોગિક નીતિની ગરજ સારે તેવા લાગે. ન્યાયી ઔદ્યોગિક જીવનના તત્ત્વ તરીકે “બધાને સમાન તક” મળવા બાબત પોકાર ઉઠાવવામાં આવે છે; અને ત્યાંથી આગળ ચાલી કહેવામાં આવે છે કે, ઉદ્યોગોમાં વધારે સારી પરિસ્થિતિ પ્રવર્તાવી જોઈએ; માલિક અને મજાર વચ્ચે માનવતાપૂર્ણ સંબંધ સ્થાપિત થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org