________________
નીતિધર્મનું ઓદ્યોગિક સ્વરૂપ
૧૪૧ બાબતોમાં દોરવણી આપવા માટે તે અપૂરતી છે. દાખલા તરીકે, ઈશ્વરની દશ આજ્ઞાઓમાંથી તેણે ચેરી, જૂઠ, અને લેભના નિષેધ ઊછીના લીધા છે; એ બધા નિષેધાત્મક રીતે ઉપયોગી હોવા છતાં પૂરતા નથી એ ઉઘાડું છે. થોડા વખતથી ઈશુના ગિરિપ્રવચનમાંથી* કઈ કઈ ભાગ ઊછીનો લેવાના પ્રયત્ન થાય છે. પરંતુ ધન એકઠું કરવા સામેનો નિષેધ મૂડીદારોને ગળે ઊતરતું નથી, અને અપ્રાતકારનો સિદ્ધાંત કામદાર મંડળોને કે મજાપક્ષને ગળે ઊતરતો નથી. બહારથી ઉપાડી આણેલા એ બધા સિદ્ધાંતો ઔદ્યોગિક આબેહવામાં ફૂલીફાલી શકતા નથી. એની તુલનામાં બાકીનાં બીજાં ક્ષેત્રોએ પોતપોતાની નૈતિક પરિભાષા સારા પ્રમાણમાં ઊભી કરી દીધી છે. તે બધાંએ પિતાની આબરૂનો ધ્વજ ખડે કરી દીધું છે, અને તે અનુસાર વર્તનની પરંપરાઓ ઊભી કરી દીધી છે. જેમ કે, યુદ્ધનીતિ પોતાનું સ્થાન છોડી જનાર સૈનિકને ગેળીથી વીંધી નાખવાનું ફરમાવે છે; અને પિતાના ધંધાને એબ લગાડે તેવું વર્તન દાખવનાર અમલદારને પાણીચું પકડાવી દે છે. ન્યાયનીતિ ન્યાયાધીશના આસનની નિષ્પક્ષપાતતાને અને લાંચ રુશ્વત કે બીજા બાહ્ય દબાણથી પર રહી શુદ્ધ ન્યાય તોળવાની વસ્તુનો આગ્રહ રાખે છે; અને વસ્તુતાએ તેને સિદ્ધ પણ કરે છે. પરંતુ મૂડી અને મજૂરીના ક્ષેત્રમાં એ બધાને મળતી તેની પિતાની એવી કોઈ જ ઔદ્યોગિક નીતિ નથી. હું એમ નથી કહેવા માગતો કે, ઔદ્યોગિક ક્ષેત્રમાં નીતિનું રણ છે જ નહિ. એમ જ હેત તે ઉદ્યોગોનો ક્યારને અંત જ આવી ગયું હતું. પરંતુ હું એમ જરૂર કહું કે, ઔદ્યોગિક ક્ષેત્રમાં નીતિનાં જે કોઈ ધારણ છે, તે ગમે તેમ ભેગાં કરેલાં, છેક અપૂર્ણ, તક, અને ઔદ્યોગિક ક્ષેત્રો બહારનાં ક્ષેત્રોમાંથી ઊછીનાં લીધેલાં છે. એરિસ્ટોટલે જેમ રાજનીતિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org