________________
૧૪૨
સર્વોદયની જીવનકળા ધોરણે પ્રયત્નપૂર્વક ઊભાં કર્યા, તેવું આ ક્ષેત્રમાં કોઈએ કર્યું નથી. એક આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પિતાનાં કઈ પણ પ્રકારનાં નૈતિક ધોરણ વિનાની જ હોય, એ વસ્તુ ભારે વિચિત્ર છે. આપણે અંતિહાસિક દૃષ્ટિથી તેના ઉપર થેડી નજર કરી જઈએ. ' રાજનીતિનાં ધોરણે ઘણું લાંબા વખતથી સ્થપાઈ ગયાં
છે, તથા તેમને ભારે વિસ્તાર પણ કરવામાં આવ્યું છે. પછીના વખતમાં સધાયેલા એ બધા વિસ્તારના મૂળ પાયા પ્લેટે અને એરિસ્ટોટલે નાખ્યા હતા. પ્લેટોએ પોતાના રિપબ્લીક' ગ્રંથમાં નીતિશાસ્ત્ર અને રાજનીતિને પૂરેપરો એકરૂપ કરી દીધાં છે. તેને મતે સારામાં સારે નીતિમાન માણસ અને સારામાં સારો રાજકીય આગેવાન, એ બંને એક જ શબ્દના પર્યાયરૂપ છે. એ મુદ્દા ઉપર એરિસ્ટોટલ જરા અનિશ્ચિત છે. “સારાપણું બધી જ વસ્તુઓ માપવા માટે એક જ ખાતરીદાયક સાધન છે, અને આદર્શ રાજ્યમાં સારામાં સારો નીતિમાન માણસ જ સારામાં સારો રાજકીય આગેવાન પણ હેય; એમ કહેવા છતાં તે કબૂલ કરે છે કે, વ્યવહારમાં એવું હંમેશ બનતું નથી. પછીના સમયમાં પ્લેટની મજબૂત અસરવાળી ખ્રિસ્તી ધર્મસંરથા પાશ્ચાત્ય દુનિયાની નીતિભાવનાની મુખ્ય સંરક્ષક બની. અને જ્યારે કેન્સ્ટ ટાઈનના વખતમાં રાજ્યતંત્રે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો, ત્યારે તે વખતનું નીતિશાસ્ત્ર રાજકારણની વળી વધુ ઘેરી છાપવાળું બન્યું. મધ્યયુગમાં ધર્મતંત્ર અને રાજકીય તંત્રની સત્તાનાં ક્ષેત્રોની મર્યાદા બાબત તીવ્ર ઝઘડે ઉપસ્થિત થયે, અને તેના પડઘા હજુ પણ આપણને સંભળાય છે. તે ઝઘડાને પરિણામે નાગરિકની રાજ્ય પ્રત્યેની ફરજ અને ઈશ્વર પ્રત્યેની ફરજ વચ્ચે ચે ભેદ પડી ગયે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org