________________
નીતિધર્મનું ઓદ્યોગિક સ્વરૂપ ૧૩૯ ઉદ્યોગને સ્વીકાર ન હોય. પરંતુ મારું ખાસ કારણ તો એ છે કે, ઉદ્યોગ જ મનુષ્યના સ્વભાવને અતિ અનુકૂળ હોય એવી પ્રવૃત્તિ છે, ખાસ કરીને “દૃશ્ય દેખ્યા કરવાની” પ્રવૃત્તિ – ભલે પછી તે કુદરતની સુંદરતા નીરખ્યા કરવાની હોય, કળાકૃતિઓ નીરખ્યા કરવાની હોય, કે વિશ્વના સામાન્ય ચિંતનરૂપ હેયતે કરતાં તે વધુ અનુકૂળ છે જ. એ બધી વસ્તુઓને માનવજાતની મુખ્ય પ્રવૃત્તિઓ રૂપ કેવી રીતે બનાવી શકાય, એ ઉઘાડી મુશ્કેલી તો છે જ, પરંતુ મને તે એમ પણ લાગે છે કે, જે માણસ કુદરતની સાથે ઉદ્યમ કરવા નથી માગને, તેની આગળ કુદરત પોતાની સુંદરતા પણ પ્રગટ નથી કરતી. તેનું રૂપ જેનારા તેની સામે માત્ર તાક્યા કરે, એ વસ્તુની તેને ચીડ છે. જે લેક પિતાની જાતે કાંઈ પણ કુશળતા પ્રાપ્ત કરવાની મહેનત નથી લેતા, તેમને મન કળાને પણ કંઈ અર્થ રહેતો નથી. કુદરત તેમ જ કળા બંને ઉદ્યોગ ઉપર જ નભી રહ્યાં છે; વસ્તુતાએ એ બંને ઊંચી કક્ષાએ પહોંચેલા ઉદ્યોગે જ છે; અને તેમને ઉદ્યોગી સિવાય બીજો કોઈ માણી ન શકે. અને એ જ વસ્તુ સમગ્ર વિશ્વ માટે પણ સાચી છે. હું એમ નથી માનતું કે, વિશ્વનું અસ્તિત્વ ફિલસૂફે તેનું ચિંતન કર્યા કરે તે માટે છે. વિશ્વ પણ જગવ્યાપી ઉદ્યોગનું જ બીજું નામ છે; અને ઉદ્યોગી પુરુષો જ તેના ચિંતનથી કંઈ લાભ ઉઠાવી શકે. આપણે એમ જરૂર કહી શકીએ કે, “ઔદ્યોગિક થઈને આપણી સંસ્કૃતિએ કઈ આફત નથી જ વહેરી લીધી. કોઈ પણ પ્રાણવાન સંસ્કૃતિ ઉદ્યમીના અર્થમાં ઔદ્યોગિક જ હોય.
આ કહેવાનો એ અર્થ નથી જ કે, અવરજવરની ધમાચકડીથી ભરેલું ગ્લાસગો શહેર જ ઈડનના–અમરાપુરીના બગીચા કરતાં માણસને રહેવા માટે વધારે સારું સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org