________________
૧૩૭
નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ અને હિતેની ઉત્પત્તિ ઉપર તેને કશોય કાબૂ હોતો નથી; તેમ જ જ્યારે તે બધાં પ્રજામાં વ્યાપવા લાગે છે, ત્યારે પ્રજા ઉપર થતી તેમની અસરને રોકવાનું કશું સાધન તેની પાસે હેતું નથી. રાજકીય સત્તા દેશની સરહદ આગળ પૂરી થાય છે; પરંતુ વસ્તુઓ અને સેવાઓ માટેની તેના પ્રજાવર્ગની માગણીઓ, અરે, જીવનની જરૂરિયાતો માટેની જ માગણીઓ તે તેનાથી પાર આખા જગત ઉપર વ્યાપતી હોય છે. એક પ્રજા પોતાના દેશની સરહદની અંદર રાજકીય દૃષ્ટિએ સ્વતંત્ર હોય, અને લેકશાસન માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય; પરંતુ પિતાના રેજના અન્ન માટે જ તેને પોતાની સાથે માલ તેમ જ સેવાઓની અદલ બદલ કરવાની પરદેશીઓની મરજી ઉપર આધાર રાખવો પડતે હોય, અને તેમના ઉપર તેને પિતાને કશે કાબૂ ન હોય. આધુનિક જગતની રાજકીય અને ઔદ્યોગિક પરિસ્થિતિ વચ્ચે આવી ઉઘાડી વિસંગતિ ઊભી થઈ છે. રાજકીય દૃષ્ટિએ જગત ભાગલાઓથી ભરેલું છે, પરંતુ ઔદ્યોગિક દૃષ્ટિએ (અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ) તે ઝપાટાબંધ એક બનતું જાય છે.
એનો અર્થ એ થયો કે, જગદ્રવ્યાપી સમાજમાં કામ કરનાર તરીકે તથા બીજાના કામનો લાભ પામનાર તરીકે દરેક નાગરિકની કેટલીક અગત્યની આવશ્યકતાઓ એવી બની છે કે, તે પૂરી પાડવાનું તેમ જ તેમને બહારથી થઈ શકતાં નુકસાનમાંથી બચાવવાનું તેના દેશની સ્થાનિક સરકારથી બની શકે તેમ નથી. દાખલા તરીકે, આ ઘડીએ જ ઇંગ્લંડ દેશના લેક સામે બેકારીની ભયંકર પરિસ્થિતિ આવીને ઊભી રહી છે તેને દૂર કરવાની બાકરી દેશના દરેક રાજકીય પક્ષે બાંધી છે; પરંતુ અંતે તે દરેકને સમજાયું છે કે, તેમ કરવાનું તેને માટે શક્ય નથી. તેમની તે અશક્તિનું કારણ એ છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org