________________
૧૩૬
સર્વોદયની જીવનકળા રીતે સંકળાઈ ગયાં છે અને જેમ જેમ વખત જાય છે તેમ તેમ માત્ર પરદેશ સાથેના વ્યાપારની ખિલવણીથી જ નહીં, પણ જુદી જુદી પ્રજાઓની સંસ્કૃતિઓના વધુ નિકટ સંબંધોથી તે વધુ ને વધુ સંકળાતાં જશે. અત્યારે જ આપણે આપણું થાળીમાં પિસાયેલી વાનીઓ, આપણા શરીર ઉપરના કપડાં, આપણા ખિસ્સામાંની વસ્તુઓ, આપણાં ઘરનું રાચરચીલ કે આપણા કબાટમાંનાં પુસ્તકો તરફ નજર કરીશું, તો આપણને ખાતરી થશે કે, બહુ થોડા જ વખતમાં એ દિવસ આવી પહોંચશે – જે અત્યાર આગમચ જ આવી પહોંચ્યો ન હોય તો – જ્યારે દરેક “ઔદ્યોગિક વ્યક્તિ” માટે શબ્દશઃ એમ કહી શકાશે કે તે આખી દુનિયા માટે કામ કરે છે અને આખી દુનિયા તેને માટે કામ કરે છે.
પરંતુ આ જગાએ અર્વાચીન જગતમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિ અને ઔદ્યોગિક પરિસ્થિતિ વચ્ચે ધ્યાન ખેંચે તે વિસંવાદ નજરે પડે છે. અલબત્ત એ વસ્તુ છેક જ નવીન નથી, પરંતુ હવે તે તેણે એક ગંભીર પરિસ્થિતિ ગણી શકાય તેવું કદ તથા સ્વરૂપ પ્રાપ્ત કર્યા છે. રાજકીય દૃષ્ટિએ જગત આત્મપર્યાપ્ત અને સ્વતંત્ર એવા પ્રજાકીય એકમેનું બનેલું છે. તે દરેક એકમ પોતાના નાગરિકોના હકો અને ફરજો નિયત કરવાની પિતાને સંપૂર્ણ સત્તા હોવાનો દાવો કરે છે. પરંતુ બીજી બાજુ, ગમે તેટલી સંરક્ષણાત્મક જકાતની દીવાલે તેમ જ રાષ્ટ્રીય પૂર્વગ્રહ હોવા છતાં, ઉગહુન્નર અને સંસ્કારની દૃષ્ટિએ એ બધા રાજકીય વિભાગનું મહત્વ ઓછું થતું જાય છે. તેમની સરહદો અદશ્ય થતી જાય છે, કેટલીક તે ક્યારનીય ભૂંસાઈ ગઈ છે. અને એ રીતે, દરેક રાષ્ટ્રને ગમતું હોય કે ન ગમતું હોય તેમ છતાં, પરદેશમાંથી આવતાં બળે અને હિતેનું આક્રમણ તેને સ્વીકારવું પડે છે. એ બળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org