________________
નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ
૧૩૫ બહાર પડે, એવું આપણે ઈચ્છીએ પણ ખરા. ઉપરના વાક્યમાં સ્ત્રીઓને મેં જાણી જોઈને આણી છે. હવે થોડા વખતમાં લાખ સ્ત્રીઓને મતાધિકાર મળવાને છે. તેમાંથી ઘણી હજુ જાણતી નથી કે, તેઓ કેવી રીતે મત આપશે અને કઈ વસ્તુને મત આપશે. હું તેમને મારા જુવાન મિત્રના
ફુરસદ પક્ષ’ને મત આપવાનું સૂચવું છું; કારણ કે તે પક્ષ દરેક નાગરિકને સારા કારીગર થવાની તાલીમ આપવાનો ઈરાદે રાખે છે. એ વસ્તુ જ અંગત રીતે આનંદપૂર્ણ, તથા સામાજિક દષ્ટિએ ઉપયોગી એવા જીવનના દઢ પાયારૂપ છેઃ બીજા શબ્દોમાં કહીએ તે, કમાવા ચેચ એકમાત્ર આજીવિકારૂપ છે.
નારિકતા વિષેની રાજકીય કલ્પનાને ગૌણ બનાવી, તેની ઔદ્યોગિક કલપનાને પ્રાધાન્ય આપવામાં મારી ભૂલ થતી ન હોય, તે તેમાંથી ઘણાં વ્યાપક તથા અતિશય ઊંડાં પરિણામો નીપજવાં જોઈએ.
પ્રથમ તો નાગરિકતાની કલ્પના પતે જ વ્યાપક બનીને આંતરરાષ્ટ્રીય બની જશે. એ વ્યાપકતાથી રાષ્ટ્રીય નાગરિકતાની વસ્તુ નાશ નહીં પામે; પરંતુ તેનું રૂપાંતર થઈ તે વધુ ઊંડી બનશે. અમુક દેશના કે તમુક દેશના પ્રજાજન તરીકે નાગરિકને મળતા હક અને ફરજોનો અર્થ, આપણે કામદારોના જગદ્રવ્યાપી સંઘના સભ્ય તરીકે તેને પ્રાપ્ત થતા હકો અને ફરજોની દૃષ્ટિએ સમજવું પડશે. અથવા વધુ ચેકસ ભાષામાં કહીએ તો, આપણને માલુમ પડશે કે, નાગરિકતાનું રાષ્ટ્રીય પાસું અને આંતરરાષ્ટ્રીય પાસું બંને એકબીજાના અર્થમાં એવા ફેરફાર કરે છે કે, તે દરેકને અર્થ જ બદલાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાંવ્યવહારની ખિલવણીથી આખા જગતના કામદારોનાં હિત જુદાં ન પાડી શકાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org