________________
૧૨૪
સર્વોદયની જીવનકળા તે માટે સૌથી પ્રથમ તે આપણે (સૌ દેશના) “મજૂર’ પક્ષને બદલી નાખીને તેને ઉત્તમ કામકાજ કરવાની ભાવનાથી પ્રેરાયેલા “સારા કામદારોનો” પક્ષ બનાવી દેવું જોઈએ. અલબત્ત એ વસ્તુ મુશ્કેલ છે, પરંતુ અશક્ય તો નથી જ. સમાજના બધા વર્ગોમાં તેમ જ સંસ્કારની બધી શ્રેણુંઓએ એવાં લાખો સ્ત્રી-પુરુષે વિદ્યમાન છે કે જેઓ એ ફેરફારનાં પ્રાથામક ચિને નજરે પડતાં જ તનમનથી તે પક્ષમાં જોડાઈ જવા, તથા તેને ઔદ્યોગિક યુગનો એકમાત્ર પક્ષ બનાવી દેવા આતુર છે. સૌ કોઈ જાણે છે કે, ઝાડુવાળાથી માંડીને કળાકાર સુધીના અનેક ધંધાઓમાં કામ કરતા આ કુશળ કામદારો જ ઔદ્યોગિક સંસ્કૃતિના આધારસ્તંભ જેવા છે. તેઓ જ સમાજના સાચા તારણહાર છે તેમની આવડત, તેમની કુશળતા અને તેમની વિશ્વાસપાત્રતા એ જ સમાજની જીવનશક્તિનાં, તથા અત્યારની અર્ધગતિના અંધારામાંથી નીકળી છૂટવાની એકમાત્ર આશાનાં મૂળરૂપ છે. આપણું રાજ્યતંત્ર અલબત્ત એક અમૂલ્ય મૂડીરૂપ છે; પરંતુ જ્યાં સુધી કુશળ કારીગરે તેનું સંચાલન નહીં કરે, તેમ જ આખા જગતમાં કુશળ કારીગરીને પ્રચાર કરવાના કામમાં તેને નહીં લે, ત્યાં સુધી આપણું ઔદ્યોગિક જમાનાને જરૂર છે તે જાતને તેને ઉપયોગ નહીં થાય.
અત્યારે જે જાતની વસ્તુસ્થિતિ છે, તેમાં તે રાજકીય તંત્રની મદદ વિના મોટા પાયા ઉપર સમાજસુધાર થઈ શકે તેમ નથી, એ સાચું છે તથા તેની હું ને પણ પાડતો નથી. ગયા પ્રકરણમાં જેના લખાણમાંથી મેં ઉતારા કર્યા હતા, તે મારો અપતરંગી જુવાન મિત્ર પણ “બિલ રજૂ કરવા માટે -પાર્લમેંટના સભ્ય તરીકે ચૂંટાવાનું જ વિચારે છે. એના જ મતનાં બીજાં પણ અનેક જુવાન સ્ત્રી-પુરુષ ઉમેદવારી કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org