________________
१३
"
આક્ષેપોના અર્થ લગભગ સરખા જ થાય છે....તે આક્ષેપ પાછળ કર્મક મહત્ત્વનો અર્થ જરૂર છે. પરંતુ તે કયા ?...તે ત્રણે આક્ષેપ કદ અથવા ગયાને ઉદ્દેશીને છે; અર્થાત્, ભૌતિક તત્ત્વના મેાટા જથા સામે, મિલકતના મેટા જથા સામે, અને ધનના મોટા જથા સામે છે.... કાળ અને ગુણુ પ્રત્યે દુર્લક્ષ કરી, સ્થળ અને જથાની જ ઉપાસના કરતા જમાનાના એ ત્રણે દુગુણા છે. પરંતુ ભૌતિક તત્ત્વ પ્રત્યે આદર અને ભયની લાગણીવાળા ભૌતિકવાદ, અર્થાત્ ઉદ્યમ વડે તે તત્ત્વમાંથી ‘સૌન્દર્ય ભરી અને આનંદભરી’ ચીજો ખનાવવા ઇચ્છતા, તથા ભૌતિક તત્ત્વ આપણા ઉદ્યમને વળતા જવાબ આપશે, તથા આપણે તેને જેટલા વકાદાર રહીશું, તેટલું તે પણુ આપણુને વફાદાર રહેશે, ’ એવી શ્રદ્ધાવાળા ‘ભૌતિકવાદ' તેા જેટલા વધારે હોય તેટલા સારી; કારણુ કે, તે તે માનવ જીવનને ગૌરવ આપનાર સર્વ બાબતોનું ખાસ મૂળ છે. તે જ પ્રમાણે, વાસ્તવિક મૂલ્યાની ભૂખવાળું તથા તેવાં મૂલ્યા ઉત્પન્ન કરીને પોતાનાં બનાવવા ઇચ્છતું પરિગ્રહીપણું પણ આવકારદાયક જ છે....તેમ જ જે હરીફાઈ, કાણુ વધુ મેળવી જાય છે એ મુદ્દાને બદલે, કાણુ વધુ સારું કરે છે એ મુદ્દાની આસપાસ ચાલે, તે હરીફાઈ વડે તે આખી પૃથ્વી છવાઈ જાએ, એમ જ હું કહું....સ્થળભાવનાની દુનિયામાં જે ભૌતિકવાદ, પરિગ્રહીપણું, અને હરીફાઈ અનિષ્ટરૂપ છે, તે કાળ-ભાવનાની દુનિયામાં ગુણરૂપ બની જાય છે. ” (પા. ૨૧૮–૯. ) આ છેલ્લા વાક્યમાં જૅક્સની એક વિચારક તરીકેની વિશેષતા સતાયેલી છે, અને તેને એ પેાતે પણ ઓળખે છે. તેથી જ આ વ્યાખ્યાનાની શરૂઆત તે પેાતાની નિરાળી વિચારપદ્ધતિની વિશેષતા સમજાવવાથી કરે છે. તે વિશેષતા એ છે કે, દેશ-કાલમાં રમતા આ વિશ્વમાં જો વિચાર કરવા હાય, તેા સ્થળવાચક સ્થિરતાથી નહિ પણુ કાળસંસારિતા'નાં ચશ્માંથી કરવા જોઈએ. સ્વર્ગ, નરક, આદર્શ સમાજ, નવી દુનિયાનાં સ્વપ્ન, ઇત્યાદિ સ્થળ-વિષયક કલ્પનાઓ છે. અમુક સ્થિતિ સુખદ, સર્વોત્તમ છે; તે વવી તે પ્રત્યે લેાકરુચિ
,,
વાચક
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org