________________
૧૩૦
સર્વોદયની જીવનકળા ફરતા આજના જમાનાને ગળે ઊતરવી પણ મુશ્કેલ છે. પરંતુ જરા ઊંડે ઊતરીને તપાસવામાં આવશે, તે માલુમ પડશે કે, તે તે જીવવા ગ્ય જીવન જીવવાને, બીજાઓને મદદગાર નીવડવાને, સમજદાર બનવાન અને સાચા માનવપ્રેમી થવાનો માર્ગ ખુલ્લો કરી દે છે. પછીના એક વધારે પડતા ઉપદેશાત્મક તથા કોયડાની ભાષાવાળા લાંબા ફકરામાં તે કહે છે, “રામ-રાજ્યમાં લોકો કામ પણ કરતા નથી કે રમતગમત પણ કરતા નથી, કારણ કે તેઓ તે વંને વસ્તુમો પસાથે કરે છે.' એ વાક્ય ઉપરથી સૂચિત થાય છે કે, કળાનું સ્વરૂપ તથા ભવિષ્યની ઔદ્યોગિક સંસ્કૃતિમાં તેના સ્થાન વિશે તેના વિચારે બહુ ઊંડા છે.
તેણે મજારીના “કોયડા” ઉપર કુરસદને છેડેથી “હલ્લો કરવાનો” તથા લોકોની કુશળતા ખીલવવા દ્વારા તેને “ઉકેલ” લાવવાને જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તે મને પણ મંજૂર છે, અને તેનાં કારણે પણ વાચકો હવે જાણે છે. જોકે, તેણે ઉકેલ” શબ્દને જે ઉપયોગ કર્યો છે, તે તરફ હું સખત નાપસંદગી જાહેર કરું છું. નાગરિકોના બધા વર્ગોમાં ઉપયોગી હુન્નરેને પ્રચાર કરવાથી યાંત્રિક મજૂરીની માગ ઓછી કરવાને પણ કંઈક ઉપાય થઈ રહેશે; તથા અત્યારે દઢમૂળ થયેલી ‘જથાબંધ ઉત્પત્તિ” ઉપરનો ભાર પણ થોડોક હળવે થશે; જોકે એ વસ્તુને સદંતર નાબૂદ થયેલી ઈચ્છવાનું કંઈ કારણ દેખાતું નથી. અલબત્ત, વખત જતાં આ ભાર એ જ થતો જશે. દરમ્યાન, હુન્નર-કુશળતા પ્રાપ્ત કરનારી એક એવી પેઢી ઊભી થતી જશે કે જેના જીવનનાં ધરણે ઘણાં બદલાઈ ગયાં હશે. એક બાજુ, તે પેઢી વધારે સારી જાતની કારીગરી અને વસ્તુઓ માગતી થશે, અને એ રીતે વસ્તુઓની “જથાબંધ ઉત્પત્તિ”ની કુટેવને સુધારતી જશે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org