________________
ફુરસદને ઉપયોગ
૧૨૯ એ રીતે એ કંટાળાભરેલા દિવસોને કઈ કલાક પસાર કરે તેને માટે મુશ્કેલ નહિ રહે.”
ત્યાર બાદ, શેખચલ્લીના તરંગો દેડાવતી જુવાનીના જેસમાં, મારે યુવાન મિત્ર પોતાનાં પછીનાં રાજકીય પરાક્રમોની વાત કહેતો જાય છે, જેમાંનું કેટલુંક ગગનવિહાર જેવું જ છે. પરંતુ તેના વિચિત્ર ફુરસદ-પક્ષ વિષે તે ઉત્કટ બનેલો લાગે છે; અને રચનાત્મક નાગરિકધર્મને સાચો આત્મા તેણે લ લાગે છે. એક ખાસ અગત્યનો સિદ્ધાંત તેણે પકડી પાડ્યો છે, એમાં શંકા નથી. તે સ્પષ્ટ જોઈ શક્યો છે કે, ઔદ્યોગિક સંસ્કૃતિના મજૂરી-વિભાગમાં કંઈ પણ સુધારણા દાખલ કરવી હોય, તે સાથે સાથે ફુરસદ-વિભાગમાં પણ દાખલ કરવી જોઈએ. કારણ કે, તે બાબતમાં જ્યાં સુધી “વધારે સારી સ્થિતિ” પ્રવર્તાવવામાં ન આવે, ત્યાં સુધી પહેલી બાબતમાં પણ તેમ કરવું અશક્ય છે; અને એકમાં પ્રવર્તતી ગુલામી બીજમાં પ્રવર્તતી મૂર્ખતામાં પ્રતિબિંબિત થાય જ. મારા મિત્રમાં વસ્તુના હાર્દ સુધી પહોંચવાનું જેમ ઊંડાણ છે, તેમ ભવિષ્યમાં દૂર સુધી નજરે કરવાની અગમચેતી પણ છે. તેણે જોઈ લીધું છે કે, મારીને કલાકે ઓછા કરવાથી તથા તેના મહેનતાણમાં વધારો કરવાથી ફુરસદના સમયમાં જે વધારે થશે, તેને લીધે એવી પરિસ્થિતિ ઊભી થશે કે સંસ્કૃતિનું ભાવી, મજારીના થોડા કલાક દરમ્યાન લોકો જે કાંઈ કરશે, તેના કરતાં ફુરસદના ઘણા કલાક દરમ્યાન જે કાંઈ કરશે, તેના ઉપર વધુ પ્રમાણમાં તળાઈ રહેશે. લોકોને ફુરસદના વખત દરમ્યાન પણ કામ કરતા રહેવાનું સમજાવવાના તેણે જે પ્રયત્ન કર્યો છે – જોકે તે વત દરમ્યાન તેમણે કુશળતા પૂર્વક અને સર્જનાત્મક કામ કરવાનું છે --- તે વસ્તુ દેખીતી તે કઠેર તપસ્યાના માર્ગ જેવી દેખાય છે તથા રૂપે દેખતા સ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org