SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સર્વોદયની જીવનકળા નહિ કરે, ત્યાં સુધી તેને ભણતરમાંથી મુક્તિ નહિ મળે. તેની શાળાની પરીક્ષા’ એટલું તપાસવા પૂરતી હશે કે, તેણે જે જ્ઞાન મેળવ્યું છે, તેના વડે માનવ દૃષ્ટિએ ઉપયોગી એવું કાંઈ તે ફરી શકે તેમ છે કે નહિ. અર્થાત્ તેણે કોઈ પણ એવી બાબતની કુશળતા પ્રાપ્ત કરી છે કે નહીં, કે જે તેને પિતાને આનંદદાયક અને માનવજાતને ઉપયોગી થઈ પડે તેવી હોય; – ભલે પછી તે કુશળતા પિતાની માતૃભાષાને સમજી શકાય તેવી સ્પષ્ટતાથી અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બેલી બતાવવા પૂરતી જ હોય. રાજ્યની તિજોરીમાંથી પૈસાની મદદ મેળવતી, કે રાજ્ય તરફથી માન્ય થયાનો પટ મેળવનારી તમામ શાળાઓ, કોલેજે કે યુનિવર્સિટીઓએ “કુશળતાનાં વિદ્યાલય બનવું પડશે. જે કોઈ તે બાબતમાં પાછું પડશે, તેને મળતી મદદ બંધ કરવામાં આવશે, તથા તેને પટ પાછો ખેંચી લેવામાં આવશે. આ તો છોકરાઓ અને જુવાનિયાઓ પરતું થયું. પરંતુ કોઈ પણ કુશળતાના ઉપગ વિનાની જડ મજૂરી કરતા કમભાગી જન-સમુદાય માટેય મારા બિલમાં પ્રૌઢશિક્ષણની ચેગ્ય પદ્ધતિઓની જોગવાઈ હશે. તે દ્વારા પ્રૌઢને રાજકારણ અને અર્થશાસ્ત્રના ઉપટિયા જ્ઞાનથી ભાષણ કરતાં અને વ્યાખ્યાન આપતાં જ શીખવવામાં નહિ આવતું હોય (જો કે તે વિષયે પણ પૂરતી માત્રામાં શીખવવાના તો હશે જ); પરંતુ જે હુન્નર-કળા અને તેના આનંદે તે ખોઈ બેઠા છે, તે તેમને, શરીર અને મનને લગતી વિવિધ કળાઓ અને હુન્નરે શીખવીને, પાછાં મેળવી આપવામાં આવશે. તેથી કરીને જ્યારે બેકારીનો વખત આવે, ત્યારે પણ દરેક જણ પિતાના કુટુંબની મદદથી પિતાનું ધાન પકવી શકશે, કે પોતાનાં કપડાં વણી શકશે, કે પોતાનો સરસામાન બનાવી શકશે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy