________________
૧૨૪
સર્વોદય જીવનકળા સાગરમાં સફર કરનારી મોટી આગબેટની પ્રથમ વર્ગની કેબીનમાં બેસીને આખી દુનિયાનું ચક્કર મારશે તેનાથી નથી જાણવાના. કેઈ પણ વિદેશમાં તમે ઓછામાં ઓછા છે જણને તમારા અંગત મિત્રો કહી ન શકે, ત્યાં સુધી તમે તે દેશને જાણે છે, એ દાવો ન કરતા. જ્યાં તમને કાંઈક રસિક કામકાજ કરવાનું અને માણસ સાથે અંગત સંબંધ પ્રાપ્ત કરવાનું મળે, તે સ્થળેની જ મુસાફરી તમે વધુ પસંદ કરજો. જે સ્થળોએ જઈને તમારે કંઈ કરવાનું ન હોય, તે સ્થળનું દશ્ય” ગમે તેવું હોય, તે પણ ત્યાં જવાનું પસંદ ન કરશે. . . . અલબત્ત, આરામ તો તમારે ખૂબ જ લેવું જોઈએ. પરંતુ થાક્યા બાદ જે તમે તમારે પિતાને ઘેર જ શાંતિથી આરામ ન લઈ શકો, કે માંદા પડ્યા બાદ બીજા સ્થળે કરતાં તે ઠેકાણે જ જલદી સાજા ન થઈ શકે, તે તમારા ઘરમાં કંઈક વાકું છે એમ જ કહેવું જોઈએ . . . જ્યારે મારો દાક્તર મને કહે છે કે, “તમારે આરામ લેવાની જરૂર છે, માટે બહારગામ ચાલ્યા જાઓ,” ત્યારે તે માત્ર મારા “ઘર”ને જ સજા ફરમાવતો નથી, પરંતુ તે ઘરને ઉત્પન્ન કરનાર આખી સંસ્કૃતિને જ સજા ફરમાવે છે. અને તે વખતે ઘેલકમાં રહેતા લોકો માટે મારું હૃદય ફરી નિસાસા નાખવા લાગે છે.” | મારા એક જુવાન તથા મહત્ત્વાકાંક્ષી મિત્રે મારા ઉપર થોડા સમય ઉપર એક લાંબો પત્ર લખ્યા હતા. તેની વિચારસરણી ઘડવામાં મારે પણ કાંઈક ફાળે છે, એ હું દાવે કરી શકું છું. તેની કલ્પના જરા વિચિત્ર લાગે તેવી છે; પરંતુ તેને ભાવ ઉપર ટાંકેલા ઉતારાને મળતે જ હેઈ તેમાંથી હું કેટલોક ભાગ નીચે આપું છું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org