________________
ફુરસદને ઉપયોગ
૧૧૯ સમયમાં જ તેમને વધારે કુશળતા દાખવવી પડતી હોય, તે તેવા માણસને ફુરસદના સમય કરતાં કામકાજના સમયમાં જ સૌથી વધુ આનંદ મળે.
મજૂરી એ એક શાપ છે કે વરદાન છે, એ વસ્તુ તે તમે કઈ જાતની મજૂરી કરો છો, તથા તે કરવામાં કયા હેતુઓ અને ભાવનાઓ સેવો છે, તેના ઉપર આધાર રાખે છે. પરંતુ ધ્યાનમાં લો કે, એ જ નિયમ કુરસદને પણ લાગુ પડે છે. જડ-મજૂરી, અર્થાત્ અંગત કુશળતા દાખવી ન પડે તેવી મજૂરી, ખરેખર શાપરૂપ છે. તેના બદલામાં ગમે તેટલું મહેનતાણું મળતું હોય, તો પણ તે મજૂરી કરનારનાં શરીર અને મને તેનાથી તવાઈ જ જાય છે. પરંતુ જડ, અર્થાત્ કુશળતાના ઉપયોગ વિનાની ફુરસદ પણ તેવી જ હોય છે. જડ મજૂરી અને જડ કુરસદ એ બંને અનિચ્છે આજે ચારેબાજુ ફેલાયેલાં છે. તેમાંથી બીજા અનિષ્ટને –જડ કુરસદને – હું પહેલા કરતાં વધુ વ્યાપક તથા વધુ પાવરધું ગણું છું. એટલું જ નહીં, પણ તેને તે હું તે બેમાથી મૂળભૂત અનિષ્ટ પણ ગણવા તૈયાર છું. કારણ કે, ઔદ્યોગિક જગતમાં ચાલતા જથાબંધ ઉત્પત્તિવાળા ધંધાઓમાં, ફુરસદના વખતની માણસોની મૂઢતા સંતેષવા માટે, અર્થાત્ ફુરસદવાળા મૂખને – ભલે પછી તે ગરીબ હોય કે તવંગર – પિતાના જાતિભાઈઓને ત્રાસરૂપ બનવા માટે તથા પોતાની જાતને જોખમરૂપ બનવા માટેની સામગ્રી પૂરી પાડતા ધંધાઓ માણસને માટે સૌથી વધુ અધપાત-કારક છે. કઠારાની અંદર ઊભી રહી, દારૂના પ્યાલા ભરી આપી આપીને લેથ થઈ ગયેલી હોટલવાળાની નોકરડીની મજૂરી, અને તે કઠારા બહાર તેણે આપેલા દારૂને ચૂસતા ઘરાકની ફુરસદ, એ બંનેને એકબીજા સાથે કાર્યકારણભાવનો સંબંધ છે. એ બંને કિયાઓની ઉપગિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org