________________
સર્વોદયની જીવનકળા થતો હોય છે, તે સમય દરમ્યાન કોઈ પણ કાયદાનો અમલ જ રહેવાનો ન હોય, કે બુદ્ધિના અંકુશો પણ રદ થવાના હોય, તેમ જ ડહાપણ અને ગાંડપણ વચ્ચેનો ભેદ ભૂંસાઈ જવાનો હોય, તો તો એ જાતની “નિરંકુશ ફુરસદથી ભૂતકાળમાં કેટલીય સંસ્કૃતિઓ નાશ પામી છે, અને આપણી સંસ્કૃતિ પણ અંતે એ જ કારણથી નાશ પામશે, એમ જ કહેવું જોઈએ. કુરસદનો ઉપયોગ કરતાં આવડવાની કેળવણી, આજના જમાનાની સૌથી મુખ્ય આવશ્યકતા છે.
તેથી, બાઈબલમાંના “ઉત્પત્તિ-પ્રકરણ” પ્રત્યે, મિ. રસેલની બુદ્ધિમત્તા પ્રત્યે અને લેબર-લીડર'માં લખનારા તેમના મળતયાના શુભેચ્છક ઝનૂન પ્રત્યે યાચિત સન્માનવૃત્તિ રાખવા છતાં, હું ભારપૂર્વક કહેવા માગું છું કે, મજૂરી વિષેને જે કઈ સિદ્ધાંત મજૂરી અને કુરસદને એકબીજાની સામે – એકબીજાના વિરોધી તરીકે રજૂ કરે છે, તથા એકને આશીર્વાદ આપીને બીજા ઉપર શાપ વરસાવે છે, તે મૂળે જ છેટે છે. મજૂરી એ શાપિત કામ છે, અને કુરસદ એ સ્વર્ગીય બે-કામ છે, એ સિદ્ધાંતની સામે હું એ સિદ્ધાંત રજૂ કરવા માગું છું કે, બંનેની અંદર કામ કરવાપણું રહેલું છે; તથા એ રીતે તે બંને તતઃ એક હોઈ, તેમની દોરવણી અને નિયંત્રણ એક જ આદર્શથી થવાં જોઈએ. આ આદર્શ તે કૌશલ દાખવી ઉત્તમ કામ કરવાનો, કે જે વસ્તુને એરિસ્ટોટલે કેટલાંય સૈકા પહેલા માણસના સાચા કર્તવ્ય તરીકે ગણાવી હતી. ડાહ્યો માણસ મજૂરીને બદલે કુરસદને પસંદ કરવાનું એક જ કારણ આપી શકે કે, કુરસદના સમયમાં તેને ઉત્તમ રીતે કામ કરવાની, અર્થાત્ વધારે સારું કામ કરવાની તક વધુ મળે છે. પરંતુ કળાકારોની બાબતમાં તથા સામાન્ય રીતે સાચાં મૂલ્યોનું સર્જન કરનારાઓની બાબતમાં બને છે તેમ, કામકાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org