________________
૧૨૦
સર્વોદયની જીવનકળા કે નિરુપયોગિતા વચ્ચે મને કશો તફાવત દેખાતો નથી. ઔદ્યોગિક સમાજતંત્રમાં જડ મજુરી અને જડ કુરસદ એકબીજાને કેવાં ઊભાં કરે છે તથા વધારે છે, તેના ઉદાહરણ તરીકે એ ચિત્ર હું રજૂ કરું છું. ફુરસદના વખતમાં લોકો જે રમત રમે છે તેમાં, સામાજિક દૃષ્ટિએ વિચાર કરતાં, “મૂર્ખ બનવા” જેવી ખરચાળ એક રમત નથી; કારણ કે, ફુરસદવાળે છેડે મૂખ હોવ, એને અર્થ જ એ છે કે મજૂરીવાળે છેડે ગુલામ હોવો.
જડ મજૂરીની સાથે સાથે જ જેડકી બહેનરૂપે ઉત્પન્ન થતી જડ ફુરસદનો એકબીજા સાથે શું સંબંધ છે, તથા ફુરસદના વખતમાં દાખવવામાં આવતી મૂર્ખતાનો મજૂરી દરમ્યાન કરવા પડતા ગદ્ધાવૈતરા સાથે શું સંબંધ છે, તેને તલસ્પર્શી અભ્યાસ થવાની ખાસ જરૂર છે. કદાચ એ આપણા સામાજિક ઈતિહાસનું કાળામાં કાણું પ્રકરણ બને. કારણ કે, અર્વાચીન મનુષ્ય પોતાની મેજમજાની બાબતમાં જેવો દુર્ભાગી છે, તેવો બીજી કઈ બાબતમાં નથી. પરંતુ તે પ્રકરણ જેટલું કાળું હશે તેટલું જ બોધપ્રદ પણ હશે; કારણ કે મજૂરીના કેયડાંની ઘણી વિશિષ્ટતાઓ સમજવામાં તે આપણને મદદગાર નીવડશે. તેના વિના તે બધી સમાવી અશક્ય છે; અને તે “કેયડાનો ઉકેલ લાવવાની જે કંચી આપણે લાંબા વખતથી શોધી રહ્યા છીએ, તે પણ આપણને તેમાંથી જ જડશે. અલબત્ત, આ ગ્રંથમાં એટલા મોટા વિષયની આંશિક તપાસ પણ હાથ ધરવી શક્ય નથી; પરંતુ, આજકાલ ફુરસદના વખતને એક ધંધે બધા વર્ગોમાં એટલો બધે માનીતો થઈ પડ્યો છે, તથા અર્વાચીન સમાજની ખાસિયતરૂપ બની ગયું છે કે, તેનો ઉલ્લેખ અહીં કરતો જાઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org