SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સર્વોદયની જીવનકળ દુર્ગુણો બીજા હિસ્સાના સગુણે કે દુર્ગુણ ઉપર અસર કરે જ છે. ચાર કલાક કામકાજ કરી, બાકીના વીસ કલાક મજમાં આવે તેમ ગાળનાર સમાજ કેવી વસ્તુ બની રહે, એ વિચારવાનું તો હું તે લેકે ઉપર જ છડું છું કે જેઓનું મન એ વસ્તુ વિચારી શકે તેમ છે. હું પોતે તે તે વસ્તુ વિચારી શકતો નથી. કાળ-ભાવનાથી જ વિચાર કરવાની આવશ્યકતાનું જે કઈ સ્થાન હોય, તે તે આ જ છે. એ દિવસ કદાપિ આવે કે જ્યારે માલની જથાબંધ ઉત્પત્તિ તથા યાત્રિક મજૂરી માટેના કલાકો એટલા બધા ઓછા થઈ જાય, કે જેથી બધી કક્ષાના મજૂરોના ફુરસદના કલાકો વધી જાય, તે એની અસર અચૂક એ થશે કે, સમાજવ્યવસ્થાનું મુખ્ય કામ અત્યારે છે તેના કરતાં બદલાઈને જુદી જ જાતનું બની જશે. અર્થાત્, ત્યારે નાગરિકોને મળતી પુષ્કળ ફુરસદની વ્યવસ્થા કરવાનું જ કામ મુખ્ય બની જશે. અત્યારે પણ બધા વર્ગોને મળતો ફુરસદને સમય વધીને એટલી હદે પહોંચ્યું છે કે, તે સમયનું શું કરવું અને તે કલાકો કેવી રીતે ગાળવા જોઈએ, એ પ્રશ્ન રાજપુરુષ અને કેળવણીકારેને માટે ભારે અગત્યને બની ગયે છે. વખત જાય છે તેમ તેમ નાગરિકોને સમુદાય તેમની કુરસદનો સમય જે રીતે ગાળે છે, તે સમય દરમ્યાન જે મેજમજાઓ તેમને આકર્ષે છે, કે તે સમય દરમ્યાન તેઓ જે જાતની રમતગમત માગે છે, અથવા જે કીમતી પદાર્થો ભોગવી નાખે છે, તેના વડે જ આખી સંસ્કૃતિનું સ્વરૂપ વધુ ને વધુ નિયત થતું જાય છે. કેટલાય વેપારની ચડતી કે પડતી, જે કામકાજ કરવામાં આવે છે તે કામકાજની જાત, જે આર્થિક કે બીજી પરિસ્થિતિ હેઠળ તે બધું કામકાજ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy