________________
૧૧૪
સર્વોદયની જીવનકળા આગળ જઈને એમ સૂચવું કે, “આપણું ધ્યેય તે ગધ્ધા વૈતરાને સમય શૂન્ય જેટલો કરી નાખવાનું હોવું જોઈએ. અને કદાચ આપણે ફરજિયાત જ એવું ધ્યેય રાખવું પડશે. કારણ કે, માણસના મોટા ભાગને ૨૪ કલાકમાંથી ૨૦ કલાક તેમની વૃત્તિઓ અને વાસનાઓને અનુસરવા કઈ પણ પ્રકારના અંકુશ વિના સોંપી દેવા, એનો અર્થ એ થશે કે, તે સમયને અંતે તેઓ એવા તે સત્વહીન, ભ્રષ્ટ, ગમાર, જંગલી, લોથ જેવા કે મૂઢ બની ગયા હશે, [ અને જે તેઓ જુદી જાતના માણસો હશે તે એવા તે વિચક્ષણ, ઉન્નત, અને સ્વતંત્ર મનુષ્યને ઈષ્ટ એવા પદાર્થોના ઉપાસક બની ગયા હશે,] કે તેઓ ચાર કલાકનું ગદ્ધાવૈતરું પણ કરવાની હાથ ઘસીને ના પાડશે; તથા પિતાની શક્તિ કે પૈસા (જે તેઓની પાસે બાકી રહ્યાં હશે તો પોતાને બદલે બીજા કેઈને એ તિરસ્કાર ભરેલું કામ કરવા મેકલવામાં ખર્ચાશે. કારણ કે, ચાર કલાકનું ગદ્ધાવૈતરું અને ૨૦ કલાકની નિરં. કુશતા એ બેને સદંતર અલગ રાખી શકાય કે કેમ તે વિષે મને શંકા છે. તે બંને એક બીજા ઉપર અનેક પ્રકારે અસર કરશે. તાલીમબદ્ધ થઈને યંત્ર ઉપર કામ કરવાના ચાર કલાકોમાં દાખવવાની શિસ્ત અને કાર્યકુશળતાને માજમાં આવે તેમ વર્તવાના વીસ કલાકે ક્યાંય ઉરાડી મૂકશે. અને બીજી બાજુ, ગાળો ભાંડતાં, ભાંડતાં [અને “લેબર લીડર”ની ભાષામાં કહીએ તો] ધિક્કાર આપતાં આપતાં, કે નજીકમાં નજીક આવેલા પીઠાનું રટણ કરતાં કરતાં, તેમ જ બીજી પણ સ્વાભાવિક વૃત્તિઓ, અને વાસનાઓ તૃપ્ત કરવાની કલ્પનાઓ કરતાં કરતાં, યંત્ર ઉપર ગાળેલા ગદ્ધાવૈતરાના ચાર કલાકને અંતે, ના-મનનું કામ બળાત્કાર કરી છેટેલા તે લકોને મિજાજ એ તે નહીં જ રહ્યો હોય કે જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org